શું બુમરાહ ટૂર્નામેન્ટ સુધી 100 ટકા ફિટ નહીં હોય? ન્યુઝીલેન્ડના આ ડોક્ટરની લેશે મદદ

ભારતીય ટીમે આવતા મહિને યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ ટૂર્નામેન્ટ પહેલા સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની ફિટનેસને કારણે ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી ગઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે જાહેર કરવામાં આવેલી 15 સભ્યોની ટીમમાં બુમરાહનું નામ સામેલ છે, પરંતુ આ ટૂર્નામેન્ટમાં તેનું રમવું સંપૂર્ણપણે તેની ફિટનેસ પર નિર્ભર રહેશે. આ દરમિયાન, કેટલાક અહેવાલો સામે આવ્યા છે કે, બુમરાહ માટે આ ટૂર્નામેન્ટ પહેલા 100 ટકા ફિટ થઈ જવું એક ચમત્કાર હશે.ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટ મેચ દરમિયાન બુમરાહ પીઠની સમસ્યાથી પીડાઈ રહ્યો હતો.

આ કારણથી તેને ઈંગ્લેન્ડ સામેની ટી20 સીરીઝ માટે પણ પસંદ કરવામાં આવ્યો ન હતો, જ્યારે તે વનડે સીરીઝની પ્રથમ બે મેચમાંથી પણ બહાર છે. આ સિવાય તે ત્રીજી વનડેમાં પણ રમશે તે નિશ્ચિત નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુમરાહ ન્યૂઝીલેન્ડના ડોક્ટર રોવાન શાઉટેનના સંપર્કમાં છે અને ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખીને તે સારવાર માટે ન્યૂઝીલેન્ડ પણ જઈ શકે છે. જો કે, આ અહેવાલો જણાવે છે કે આ ભારતીય ફાસ્ટ બોલર ટુર્નામેન્ટ પહેલા 100 ટકા ફિટ થવાની આશા ઓછી છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) બેકઅપ લેવાનું વિચારી રહ્યું છે.

-> હર્ષિત-સિરાજમાંથી કોઈપણ બેકઅપ અપનાવી શકે છે :- જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, જો બુમરાહ સમયસર ફિટ થઈ શકતો નથી, તો BCCI બુમરાહના બેકઅપ તરીકે હર્ષિત રાણા અથવા મોહમ્મદ સિરાજને તૈયાર કરવાનું વિચારી રહી છે. આ અહેવાલોને ટાંકીને બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે, બીસીસીઆઈની મેડિકલ ટીમ ન્યુઝીલેન્ડમાં શાઉટેનના સંપર્કમાં છે. બોર્ડે બુમરાહને ન્યુઝીલેન્ડ મોકલવાની યોજના પણ બનાવી છે, પરંતુ હજુ સુધી એવું બન્યું નથી. પસંદગીકારો જાણે છે કે બુમરાહ માટે સમયસર 100 ટકા ફિટ થઈ જવું એ એક ચમત્કાર હશે.

Related Posts

ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી.…

Gandhinagar : બજેટ સત્ર શરૂ થતાં પહેલા વિધાનસભા પર છવાયો પરંપરાગત અને સાંસ્કૃતિક કલા-કારીગરીનો રંગ, જાણો વિગત

ગાંધીનગર : ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *