
-> બસને લીલીઝંડી અપાઈ :- ગાંધીનગર સર્કીટ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ છે. આ બસ દરરોજ સવારે ૭ વાગ્યે અમદાવાદના રાણીપ એસ.ટી ડેપો ખાતેથી પ્રયાગરાજ જવા નિકળશે. આ પેકેજમાં તમામ ૩ રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે.

-> ઓનલાઈન બુંકિગ :- રાજ્ય સરકાર દ્વારા રૂ.8100માં કુંભમેળાની યાત્રા, ત્રણ દિવસ રાત્રિ અને 4 દિવસનું પેકેજ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં બુકિંગ GSRTCની વેબસાઇટ પરથી કરાવી શકાશે. સાથે સાથે AC વોલ્વો બસમાં ડોરમેટ્રીમાં રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. તો એક બસમાં 47 શ્રદ્ધાળુ મુસાફરી કરી શકશે. પ્રયાગરાજ પેકેજનું ઓનલાઇન બુકિંગ તા: ૨૫/૦૧/૨૦૨૫ થી એસ.ટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાય છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જનતાને પવિત્ર મહાકુંભનો લાભ લેવા નમ્ર પ્રયાસ કર્યો છે.







