રાજકોટમાં હત્યાનો વધુ એક બનાવ, પિતાએ જ પોતાની પરણિત દીકરીનાં પ્રેમીની કરી હત્યા

B INDIA રાજકોટ : રાજકોટ શહેરમાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં પિતા પોતાની પરણિત દીકરીને પોતાના ઘરમાં તેના પ્રેમી સાથે જોઈ જતા પ્રેમીને છરીનો એક જીવલેણ ઘા ઝીંકી દેતા મોત થયું હતું. ત્યારે સમગ્ર મામલે દીકરીના પ્રેમીની હત્યા કરનારા પિતાની પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, ઉપલેટા ખાતે અગાઉ બેન્ક લોન કરાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો યુવક પોતાની પરણિત પ્રેમિકાને મળવા માટે બુધવારના રોજ રાજકોટ આવ્યો હતો. ત્યારે પોતાની પરણિત પ્રેમિકાને મળવા માટે તે તેણીના રેલનગર ખાતે આવેલા ઘરે પહોંચ્યો હતો.

જ્યાં સાંજના સમયે પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી પોતાની પરિણીત દીકરીને તેના પ્રેમી સાથે જોઈ જતા બંને વચ્ચે બોલા ચાલી થઈ હતી. બોલાચાલી અંતર્ગત પિતા ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ ઘરમાં રહેલી છરી વડે યુવકના પગના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ સારવાર અર્થે પ્રેમિકા દ્વારા યુવકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.આમ બનાવ હત્યામાં પરિવર્તિત થયો છે. હત્યાનો બનાવ સામે આવતા ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી.જે.ચૌધરી તેમજ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા ક્રાઈમ સીનને મોનિટર કરવામાં આવ્યો હતો.

તો સાથે જ જરૂરી પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યુવક અને આરોપીની પુત્રી વચ્ચે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપીની ઘટના અંદાજિત સાંજના 4:30 વાગ્યા આસપાસ બની હતી. બનાવ સમયે પ્રેમી યુવક, દીકરીના પિતા તેમજ પરિણીત દીકરી અને દોહિત્રી હાજર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આમ, હાલ રાજકોટ શહેર ખાતે લગ્ન કર્યા બાદ પણ એક્સ્ટરનલ મેરીટલ અફેર્સ સાથે સંકળાયેલ કિસ્સાનો કરુણ અંજામ મળ્યો હોવાનું સામે આવ્યું છે.

Related Posts

Tarnetarમેળામાં ડ્રોન પ્રતિબંધના ભંગ અંગે વિવાદ: તંત્રના જાહેરનામા વચ્ચે ડ્રોન ઉડતાં કામગીરી પર સવાલો Rule Defiance 2026

Tarnetarમેળામાં ડ્રોન પ્રતિબંધના ભંગ અંગે વિવાદ: તંત્રના જાહેરનામા વચ્ચે ડ્રોન ઉડતાં કામગીરી પર સવાલો સુરેન્દ્રનગર: ગુજરાતના પ્રસિદ્ધ Tarnetar મેળા દરમિયાન ડ્રોન ઉડાડવા અંગેનો વિવાદ સામે આવ્યો છે. મેળાની સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા હોવા છતાં મેળા વિસ્તારમાં ડ્રોન ઉડતા હોવાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ખાસ કરીને મેળા દરમિયાન જાહેરમાં ડ્રોન ઉડાડવાની મંજૂરી હતી કે નહીં અને જો પ્રતિબંધ હતો તો તેનો અમલ કેટલો અસરકારક રહ્યો તે અંગે ચર્ચા શરૂ થઈ છે. Tarnetarનો મેળો રાજ્યના જાણીતા લોકમેળાઓમાંનો એક છે. મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, ભીડનું સંચાલન અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા…

GSRTC : તહેવારો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોને પરિવહન સેવા પૂરી પાડવા માટે GSRTC સજ્જ છે. Safe Journey

તહેવારો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે GSRTC સજ્જ, પર્યાવરણ સુરક્ષા માટે બાયોડીગ્રેડેબલ બેગ્સનું વિતરણ કરાશે ગાંધીનગર: GSRTC  ગુજરાતમાં તહેવારો અને ધાર્મિક મેળાઓની સિઝન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન અને યાત્રા માટે પહોંચતા હોય છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓને સુગમ, સુરક્ષિત અને વ્યવસ્થિત પરિવહન સેવા મળી રહે તે માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોને પરિવહન સેવા પૂરી પાડવા માટે GSRTC સજ્જ છે. વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ ગાંધીનગર ખાતે GSRTCની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોએ યોજાતા મેળાઓ અને તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓને સરળ અને સુગમ પરિવહન ઉપલબ્ધ કરાવવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *