દાહોદ : રામાનંદ પાર્ક ખાતે 14માં વાર્ષિક મહામહોત્સવની ઉજવણી કરવામાં આવી

–>દાહોદમાં  શ્રી શ્યામ સેવા સમિતિ દાહોદ દ્વારા રામાનંદ પાર્ક ખાતે 14માં વાર્ષિક મહામહોત્સવની ઉજવણી કરવામાં આવી :–

 

 

દાહોદમાં રામાનંદ પાર્ક ખાતે ભવ્ય ૧૪માં મહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, આ સમગ્ર આયોજન શ્રીરામ સેવા ટ્રસ્ટ દાહોદનાઓએ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, આ મહા મહોત્સવમાં ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં પ્રખ્યાત કલાકાર સંજય મિત્તલ , ટિવિંકલ શર્મા, તેમજ હાર્દિક અગ્રવાલ દ્વારા ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, સમગ્ર કાર્યક્રમ દરમિયાન અખંડ જ્યોત, ભવ્ય શ્રૃંગાર, ભવ્ય દરબાર, પુષ્પ વર્ષા, ઈત્ર વર્ષા, અને 56 ભોગ મુખ્ય આકર્ષણો નું કેન્દ્ર બન્યા હતા.

 

 

કાર્યક્રમ દાહોદની ધમપ્રેમી જનતાએ ખાંટુ શ્યામ  પ્રભુના ભજનમાં મનમુકીને ઝુમ્યા  હતા, તેમજ ભક્તિમાં લીન થઈ ગયા હતા, આ કાર્યક્રમમાં સમગ્ર દાહોદ જિલ્લા સિવાય અન્ય જિલ્લાઓમાથી અને રાજ્યમાંથી પણ ભક્તો આવ્યાં હતાં તેમજ પ્રભુ શ્રી ખાટું શ્યામ ના ભજનોમાં મન મુગ્ધ બન્યા હતા, 14 માં વાર્ષિક મહામહોત્સવ ની   સંધ્યામાં પુષ્પોની વર્ષા સાથો સાથ ઈત્ર ની વર્ષા પણ કરવામાં આવી હતી, જ્યાં સહુ ધર્મ પ્રેમી જનતા માટે ભોજન પ્રસાદી તેમજ ભંડારોનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

Related Posts

અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…

અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *