ફારૂક અબ્દુલ્લા માતા વૈષ્ણોદેવીની ભક્તિમાં થયા લીન, ગાયુ ‘તુને મુજે બુલાયા શેરાવાલીયે’

નેશનલ કોન્ફરન્સના વડા અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા એક સદાબહાર રાજકારણી છે. રાજકારણની સાથે, ધાર્મિક મુદ્દાઓ પર તેમના જુદા જુદા વિચારો સમયાંતરે જોઈ શકાય છે. ફરી એકવાર ફારુક અબ્દુલ્લા વૈષ્ણો દેવી મંદિર પાસે કટરા સ્થિત એક આશ્રમમાં માતા વૈષ્ણો દેવીની ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા. તેમણે કટરા આશ્રમમાં ‘તુ ને મુઝે બુલાયા શેરાવાલીયે’ ભજન ગાઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.હવે આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અગાઉ એપ્રિલ 2024 માં પણ તેમનો રામધૂન ગાતો એક વીડિયો વાયરલ થયો હતો.

-> રોપવેના મુદ્દા પર કટરાના લોકોને ટેકો આપ્યો :- હકીકતમાં, ફારુક અબ્દુલ્લા, કટરા સ્થિત એક આશ્રમમાં ‘ભજન’ કાર્યક્રમમાં એક ગાયક અને બાળકો સાથે જોડાયા, તેમણે ગાયું, ‘તુને મુઝે બુલાયા શેરાવાલીયે, મૈં આયા, મૈં આયા શેરાવાલીયે.’ આ પ્રસંગે બોલતા, તેમણે કહ્યું કે રોપવે પ્રોજેક્ટના વિરોધમાં તેઓ કટરાની જનતાની સાથે છે.. તેમણે કહ્યું, “જે લોકો મંદિરના સંચાલકોએ એવું કંઇ ન કરવું જોઈએ જે સ્થાનિક લોકોના હિતોને નુકસાન પહોંચાડે અથવા તેમના માટે સમસ્યાઓ ઉભી કરે.

-> સરકાર બનાવવાની કે ઉથલાવવાની સત્તા જનતા પાસે છે – અબ્દુલ્લા :- તેમણે કહ્યું કે લોકોને સમજાયું છે કે શક્તિ સરકાર પાસે નથી, પરંતુ લોકો પાસે છે. અબ્દુલ્લાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકો પાસે સરકાર બનાવવાની કે પાડી દેવાની શક્તિ છે અને હવે અધિકારીઓ રોપવે ક્યાં બનાવવો જોઈએ તે અંગે વાત કરવા માટે તેમનો સંપર્ક કરી રહ્યા છે.

-> ‘ધર્મનો સ્વાર્થી હેતુઓ માટે દુરુપયોગ થાય છે’ :- તેમણે કહ્યું, “આ ટેકરીઓમાં રહેતા લોકો માતાના આશીર્વાદથી અહીં આજીવિકા મેળવવા આવે છે, પરંતુ તેમની હાલત શું થશે તેનો કોઇ વિચાર કરતું નથી.. તેમને એમ લાગે છે કે તેઓ જ સર્વસ્વ છે, પરંતુ તેઓ હકીકતમાં કંઇ નથી, ઇશ્વરની શક્તિ પ્રબળ હોય છે, જુઓ કેલિફોર્નિયામાં શું થયું

Related Posts

ગાંધીનગર સ્થાપનાદિન: ગુજરાતની રાજધાનીએ પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન સિટીની ગૌરવગાથા : Magnificent

ગાંધીનગર સ્થાપનાદિન 2026: ગુજરાતની રાજધાની ગાંધીનગરે પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન અને મોડર્ન સિટી તરીકે ઉજવી રહી છે ગૌરવપૂર્ણ સફર  ગાંધીનગર સ્થાપનાદિન: 61 વર્ષની ગૌરવમય સફર, ગ્રીન અને સ્માર્ટ કેપિટલ તરીકે ગુજરાતની ઓળખ મજબૂત  ગાંધીનગર સ્થાપનાદિન, ગાંધીનગર 61 વર્ષ, ગુજરાતની રાજધાની, Gandhinagar News, Green City Gujarat, Smart City Gandhinagar ગુજરાતની રાજધાની ગાંધીનગર આજે પોતાની સ્થાપનાના 61 વર્ષ પૂર્ણ કરીને વિકાસ, હરિયાળી અને સુઆયોજિત શહેરી આયોજનના અનોખા પ્રતીક તરીકે ઉજવણી કરી રહી છે. દેશના સૌથી સુવ્યવસ્થિત અને હરિયાળા શહેરોમાં સ્થાન ધરાવતું ગાંધીનગર આજે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ઝડપી વિકાસના કારણે માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું આદર્શ શહેર બની ગયું છે. ગાંધીનગરની સ્થાપના ગુજરાત રાજ્યની નવી રાજધાની તરીકે કરવામાં આવી હતી. શહેરનું આયોજન આધુનિક…

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો : Awesome

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો, હવે મળશે રૂ. 885 – પશુપાલકોમાં ખુશીનો માહોલ પંચામૃત ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો: પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધ્યા, હવે મળશે રૂ. 885 પંચામૃત ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપતા દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો જાહેર કર્યો છે. નવા દર મુજબ હવે રૂ. 885 પ્રતિ કિલો ફેટ ચૂકવાશે. જાણો આ નિર્ણયથી પશુપાલકોને શું લાભ થશે. ગુજરાતના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અગ્રણી સહકારી ડેરીઓમાંની એક પંચામૃત ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના નિર્ણય અનુસાર હવે પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દૂધનો નવો ખરીદી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *