ફારૂક અબ્દુલ્લા માતા વૈષ્ણોદેવીની ભક્તિમાં થયા લીન, ગાયુ ‘તુને મુજે બુલાયા શેરાવાલીયે’

નેશનલ કોન્ફરન્સના વડા અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા એક સદાબહાર રાજકારણી છે. રાજકારણની સાથે, ધાર્મિક મુદ્દાઓ પર તેમના જુદા જુદા વિચારો સમયાંતરે જોઈ શકાય છે. ફરી એકવાર ફારુક અબ્દુલ્લા વૈષ્ણો દેવી મંદિર પાસે કટરા સ્થિત એક આશ્રમમાં માતા વૈષ્ણો દેવીની ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા. તેમણે કટરા આશ્રમમાં ‘તુ ને મુઝે બુલાયા શેરાવાલીયે’ ભજન ગાઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.હવે આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અગાઉ એપ્રિલ 2024 માં પણ તેમનો રામધૂન ગાતો એક વીડિયો વાયરલ થયો હતો.

-> રોપવેના મુદ્દા પર કટરાના લોકોને ટેકો આપ્યો :- હકીકતમાં, ફારુક અબ્દુલ્લા, કટરા સ્થિત એક આશ્રમમાં ‘ભજન’ કાર્યક્રમમાં એક ગાયક અને બાળકો સાથે જોડાયા, તેમણે ગાયું, ‘તુને મુઝે બુલાયા શેરાવાલીયે, મૈં આયા, મૈં આયા શેરાવાલીયે.’ આ પ્રસંગે બોલતા, તેમણે કહ્યું કે રોપવે પ્રોજેક્ટના વિરોધમાં તેઓ કટરાની જનતાની સાથે છે.. તેમણે કહ્યું, “જે લોકો મંદિરના સંચાલકોએ એવું કંઇ ન કરવું જોઈએ જે સ્થાનિક લોકોના હિતોને નુકસાન પહોંચાડે અથવા તેમના માટે સમસ્યાઓ ઉભી કરે.

-> સરકાર બનાવવાની કે ઉથલાવવાની સત્તા જનતા પાસે છે – અબ્દુલ્લા :- તેમણે કહ્યું કે લોકોને સમજાયું છે કે શક્તિ સરકાર પાસે નથી, પરંતુ લોકો પાસે છે. અબ્દુલ્લાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકો પાસે સરકાર બનાવવાની કે પાડી દેવાની શક્તિ છે અને હવે અધિકારીઓ રોપવે ક્યાં બનાવવો જોઈએ તે અંગે વાત કરવા માટે તેમનો સંપર્ક કરી રહ્યા છે.

-> ‘ધર્મનો સ્વાર્થી હેતુઓ માટે દુરુપયોગ થાય છે’ :- તેમણે કહ્યું, “આ ટેકરીઓમાં રહેતા લોકો માતાના આશીર્વાદથી અહીં આજીવિકા મેળવવા આવે છે, પરંતુ તેમની હાલત શું થશે તેનો કોઇ વિચાર કરતું નથી.. તેમને એમ લાગે છે કે તેઓ જ સર્વસ્વ છે, પરંતુ તેઓ હકીકતમાં કંઇ નથી, ઇશ્વરની શક્તિ પ્રબળ હોય છે, જુઓ કેલિફોર્નિયામાં શું થયું

Related Posts

દ કેરલા સ્ટોરી- 2 નો મ્યુઝિકલ સરપ્રાઇઝ – દુર્ગા પૂજાની એક જ રાતમાં તૈયાર થયું ‘ઘૂમરગીત ’

ફિલ્મ  The Kerala Story -2 ના લોકપ્રિય બનતા ગીત ‘ઘૂમર’  પાછળનો અવાજ એટલે ગીતકાર  સાહિલ સુલતાનપુરી. આ દિવસોમાં તેઓ પોતાના સર્જન અને ફિલ્મને લઈને થયેલા વિવાદો વચ્ચે ચર્ચાના કેન્દ્રમાં છે.…

ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: LPG બફર સ્ટોકમાં વધારો અને PNG ને પ્રાથમિકતા

ગાંધીનગર: રાજ્યમાં ઈંધણના પુરવઠાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સરકાર દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત આયોજિત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ઘરેલુ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *