મોરબીમાં ઉદ્યોગિક વિસ્તારમાં વિકાસનાં કામો માટે ઉદ્યોગમંત્રીએ ૧૨૦૦ કરોડ મંજૂર કર્યા

–> ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સફળ રજુઆત: ઉદ્યોગમંત્રીએ વિકાસકામોને આપી લીલીઝંડી:–

 

મોરબીના ઉદ્યોગકારોની માળખાકીય સુવિધા માટે રોડ બનાવવા વધુ ₹ 1200 કરોડ મંજુર  - India Exact

 

B INDIA મોરબી : મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં રોડના કામ માટે રૂ. 1200 કરોડ સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સફળ રજુઆતને પગલે ઉદ્યોગમંત્રીએ વિકાસકામોને લીલીઝંડી આપી છે.

 

આ અંગે જાહેર કરાયેલી વિગતો અનુસાર મોરબીના ચોતરફ કાર્યરત વિવિધ પ્રકારના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ અંતર્ગત ઉદ્યોગોને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા અંદાજે રૂ. 375.00 કરોડના રોડ-રસ્તા બનાવવાના કામો ચાલુ છે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ઉદ્યોગમંત્રી સમક્ષ રજુઆત કરતા ઉદ્યોગમંત્રી બળવંતસિંઘ રાજપુતે વધુ રૂ. 1200 કરોડ મંજૂર કર્યા છે.આંતરિક રોડ રસ્તાઓ ખૂબ જ મજબૂત બનવાથી વરસાદની સીઝનમાં પણ સરળતાથી પોતપોતાના ઉદ્યોગ સુધી પહોંચી શકાશે અને મોટા વાહનો ટ્રક ટ્રેલર પણ આસાનીથી પરિવહન કરી શકશે. રોડ રસ્તાઓ કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનો માપદંડ છે. ડબલ એન્જીન સરકારના માધ્યમથી નેશનલ હાઈવેઝ, નેશનલ એક્સપ્રેસ વેયઝ, ફલાય ઓવર, ઓવર બ્રિજીસ, અને એઈટ લેન, સિક્સ લેન, ફોર લેન ખૂબ મોટી માત્રામાં બની રહ્યા છે. એ જ શ્રેણીમાં મોરબીના ઉદ્યોગોને આ સુવિધા મળતા ઉદ્યોગકારોમાં આનંદની લાગણી પ્રવૃત્તિ ગઈ છે. તેમ યાદીમાં જણાવાયું છે.

Related Posts

જસદણ ખનીજચોરી વિવાદ: ભાજપ નેતાનું નામ ખુલતા રાજકારણ ગરમાયું… 2026 Corruption

રાજકોટ રેન્જ ખનીજચોરી રેકેટમાં રાજકારણ ગરમાયું: જસદણ તાલુકા ભાજપ પ્રમુખનું નામ સામે આવતા ચર્ચા તેજ, પોલીસે ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો  રાજકોટ ખનીજચોરી રેકેટ: જસદણ તાલુકા ભાજપ પ્રમુખનું નામ સામે આવ્યું, ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ રેન્જમાં ગેરકાયદેસર ખનીજચોરી મામલે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. પોલીસે કાર્યવાહી કરીને અંદાજે ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. જાણો સમગ્ર મામલો. ગુજરાતમાં ગેરકાયદેસર ખનન સામે સરકાર અને પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટ રેન્જમાં બહાર આવેલા એક ખનીજચોરી રેકેટે ફરી એકવાર રાજકીય અને વહીવટી તંત્રમાં ચર્ચા જગાવી છે. આ કેસમાં જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવતાં સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસે ગેરકાયદેસર ખનન…

ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ… Bountiful

ગુજરાતમાં 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ: કપરાડામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં મેઘમહેર  ગુજરાતમાં 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ | કપરાડામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 109 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે ધરમપુર અને નાનાપોંઢામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. જાણો જિલ્લાવાર વરસાદની સ્થિતિ. ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનતાં રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 109 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું રાજ્યના હવામાન વિભાગના આંકડાઓમાં સામે આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી સામાન્ય વરસાદ પડ્યો. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *