સુરતમાં વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવારજનોએ સંચાલકો પર લગાવ્યો આક્ષેપ, ફી ન ભરતા અપાઈ હતી સજા!

B INDIA સુરત : સુરત શહેરમાં વિદ્યાર્થિની આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થિનીના આપઘાત પાછળ સૌથી ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. વિદ્યાર્થિનીના પરિવારજનોએ શાળા પર આક્ષેપ કર્યા છે કે, ફી બાકી હોવાથી સ્કૂલ દ્વારા વિદ્યાર્થિનીને સજા આપવામાં આવી હતી, જે અંગે ખોટું લાગતા વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે.

વિદ્યાર્થિનીની 3 મહિનાની સ્કૂલ ફી બાકી હોવાની માહિતી સામે આવી રહી છે. આક્ષેપ અનુસાર, બાળકીને બહાર તો ક્યારેક ટોઈલેટ પાસે ઉભી રાખતા હતા. ધો. 8ની વિદ્યાર્થિનીને સંચાલકો સજા આપતા હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. સાથે જ મૃતકના પરિવારનું કહેવું છે કે, બે દિવસ સુધી ટોઈલેટ પાસે ઉભી રાખવાની સજા આપી હતી. જેના કારણે બાળકીને લાગી આવતા ઘરે ફાંસો ખાઈ લીધો હતો.

ધોરણ 8ની વિદ્યાર્થિનીના આપઘાત અંગે તેના પરિવારજનોના આ ગંભીર આક્ષેપો બાદ સચિન પોલીસે પણ તપાસ શરૂ કરી છે. અને વિદ્યાર્થિનીના આપઘાતનું કારણ કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ તો સ્કૂલમાં તપાસ શરૂ કરી દીધી છે.

Related Posts

સ્પેન-અમેરિકા વેપાર સંબંધો: અટકળો વચ્ચે સ્પેનનું સ્પષ્ટ વલણ, સંબંધોને ગણાવ્યા અતૂટ

સ્પેનનું સ્પષ્ટ વલણ: અમેરિકા સાથેના વેપાર સંબંધો અતૂટ અને મજબૂત મેડ્રિડ: તાજેતરમાં વેપાર સંબંધિત નિવેદનો બાદ સર્જાયેલી અટકળો પર પૂર્ણવિરામ મૂકતા, સ્પેનની સરકાર દ્વારા એક સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે.…

જોહાનિસબર્ગમાં હવાની ગુણવત્તા જોખમી સ્તરે: શહેર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ

જોહાનિસબર્ગમાં હવાની ગુણવત્તા કથળી: વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં સ્થાન જોહાનિસબર્ગ: દક્ષિણ આફ્રિકાનું સૌથી મોટું શહેર જોહાનિસબર્ગ હાલમાં ગંભીર વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. 8 જુલાઈ, 2026ના રોજ નોંધાયેલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *