CM ભુપેન્દ્ર પટેલ કુંભમેળાની લેશે મુલાકાત, આ તારીખે જશે પ્રયાગરાજ

B INDIA અમદાવાદ : ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળો યોજાયો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કુંભમેળામાં જશે. પ્રયાગરાજ ખાતે 3 ફેબ્રુઆરીના રોજ ભૂપેન્દ્ર પટેલ કુંભ મેળામાં જશે તેવા સમાચાર સામે આવ્યા છે. કાર્યકર અને ધારાસભ્ય તરીકે મૌન રહીને પક્ષની કામગીરી કરનાર ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્યના વિકાસને ગતિ મળે છે. આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં CM ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ ખાતે ઉજવણી થઈ રહેલ મહા કુંભ મેળાની મુલાકાત લેશે.

મહત્વનું છે કે ભારતમાં કુંભ સ્નાનનું વિશેષ માહાત્મ્ય છે. ભારતમાં દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થતું હોય છે.દેશમાં વિશિષ્ટ સ્થાનો પર જ કુંભ મેળાની ઉજવણી થતી હોય છે.આ સ્થાનોમાં પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકનો સમાવેશ થાય છે.આ વર્ષે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જાન્યુઆરી મહિનાની 13 તારીખે શરૂ થયેલ મહાકુંભ ફેબ્રુઆરીની 26 તારીખ સુધી ચાલશે. આ પહેલા 2013માં મહાકુંભ મેળાનું આયોજન થયું હતું કુંભમાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે.

શાહી સ્નાનમાં ભક્તો ઉત્સાહ પૂર્વક ભાગ લેતા હોય છે. આ વખતે 13મી જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાનું સ્નાન, 12 ફેબ્રુઆરીએ મહા પૂર્ણિમાનું સ્નાન અને 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનું સ્નાન પણ મહત્વ ધરાવે છે.આ ઉપરાંત આ વખતે પ્રથમ શાહી સ્નાન 14 જાન્યુઆરીએ બીજું શાહી સ્નાન 29 જાન્યુઆરીએ અને ત્રીજું શાહી સ્નાન 3જી ફેબ્રુઆરીએ યોજાશે. જણાવી દઈએ કે, 3જી ફેબ્રુઆરીના રોજ હિંદુ ધાર્મિક તિથિ મુજબ વસંતપંચમીનો દિવસ છે. વસંતપંચમીનો દિવસ હિંદુ પરંપરામાં બહુ ખાસ માનવામાં આવે છે. અને ભૂપેન્દ્ર પટેલ પણ 3 ફેબ્રુઆરીના રોજ મહાકુંભની મુલાકાતે જવાના છે.

Related Posts

21 જૂનની પોલીસ ભરતી પરીક્ષા મોકૂફ, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 21 જૂનના રોજ યોજાનારી પોલીસ ભરતીની વિવિધ લેખિત પરીક્ષાઓ મોકૂફ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. NEET પરીક્ષાના આયોજન અને વહીવટી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ…

ગુજરાતના દરિયાકાંઠે 1 જૂનથી ફિશિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ, 61 દિવસ સુધી બોટો નહીં ઉતરે દરિયામાં

ગુજરાતના સાગરકાંઠા વિસ્તારોમાં ચોમાસાની ઋતુ અને માછલીઓના પ્રજનન કાળને ધ્યાનમાં રાખીને 1 જૂનથી માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *