ગુજરાત યુનિવર્સિટીનાં પ્રોફેસર સામે ગંભીર આક્ષેપ, લેડીઝ રૂમમાં સીસીટીવી લગાવ્યા હોવાની કરાઈ ફરિયાદ

B INDIA અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સ્કૂલ ઓફ સાયન્સના આંકડાશાસ્ત્ર વિભાગના વડા સામે માનસિક ત્રાસની ફરિયાદો ઊઠી છે. યુનિ.ના વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિને અધ્યાપક સામે લેખીત ફરિયાદ કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.આ અરજીમાં અરજદારનું નામ લખ્યા વિના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે, પ્રોફેસરે લેડીઝ રૂમમાં સીસીટીવી કેમેરા લગાવાયા હતા.જોકે આ અંગે યુનિ. સત્તાધીશો દ્વારા તપાસ થયા બાદ હકીકત સામે આવી શકે છે.

તો બીજી તરફ અધ્યાપક દ્વારા મીડિયા સમક્ષ એવુ પણ નિવેદન આપવામાં આવ્યું છે કે, યોગ્ય તપાસ થવી જોઈએ મને બદનામ કરવા માટે કોઇએ ફરીયાદ કરી છે.આંકડાશાસ્ત્ર વિભાગના વડા તરીકે ફરજ બજાવતાં પ્રો. પ્રવિન્દર સિંઘ સામે તેમના જ વિદ્યાર્થીઓના નામે માનસિક ત્રાસ, અન્યાય અને ગેરરીતિની ફરીયાદ કરી હતી. આ ફરીયાદમાં પ્રોફેસર દ્વારા એમએસસીના વિદ્યાર્થીઓની કારર્કિદી બરબાદ કરી નાખવાની ધમકી આપવામાં આવતી હોવા સહિતના અનેક ઉલ્લેખો કરાયા હતા. એટલું જ નહીં પ્રોફેસર સામે લેડીઝ રૂમમાં સીસીટીવી કેમેરા લગાવવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત કેટલીક વિદ્યાર્થિનીઓના શરીરને લઇને ભૂતકાળમાં બિભત્સ ટીપ્પણી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ પણ કરાયો છે. બીજી તરફ આ મુદ્દે વિદ્યાર્થી સંગઠન દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. કુલપતિ નેક મેળવવાની લ્હાયમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો સામે આંખ આડા કાન કરીને ફરીયાદ સાંભળતાં નથી. તાકીદે આ લંપટ અધ્યાપકને સસ્પેન્ડ કરીને સમગ્ર પ્રકરણની તપાસ માટે નિવૃત્ત ન્યાયધીશની તપાસ કમિટીની રચના કરવા પણ માગણી કરાઈ હતી. બીજી બાજુ પ્રોફેસરે આજે મીડિયા સમક્ષ પોતે તપાસ માટે તૈયાર હોવાનું અને બદનામ કરવા માટે કોઇએ ફરિયાદ કરી હોવાનો બચાવ કર્યો હતો.

Related Posts

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી

રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ મધ્ય પ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.…

ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં મોટા પાયે પ્રમોશન: તલાટી વર્ગ 3 અને કારકૂન કર્મચારીઓની એકસાથે બઢતી

ગુજરાતના મહેસૂલ વિભાગમાં વહિવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે અંદાજે 800 કર્મચારીઓને એકસાથે પ્રમોશન આપ્યું છે. આ સાથે, 80 નાયબ મામલતદારોને વિવિધ જિલ્લાઓમાં બદલીના ઓર્ડર પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *