બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરા સજ્જડ બંધનું એલાન, વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને દર્શાવ્યો વિરોધ

B INDIA ધાનેરા : બનાસકાંઠામાં છેલ્લાં 20 દિવસથી ધાનેરાના સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે ધાનેરામાં સજ્જડ બંધનું એલાન આપ્યું છે. જેમાં વેપારીઓએ પોતાની દુકાનો અને ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો છે. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે ધાનેરા સજ્જડ બંધ રાખીને લોકો જન આક્રોશ સભામાં જોડાશે.

-> જન આક્રોશ સભાનું આયોજન :- આ જન આક્રોશ સભામાં લોકોને લાવવા માટે 350 રિક્ષાઓ મફત સેવા આપશે. જેને લઈને તમામ રિક્ષાઓ ઉપર જન આક્રોશ સભાના બેનરો લાગ્યા છે. જન આક્રોશ સભામાં ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ટ્રેકટરો લઈને ઉમટશે. તેમજ સભામાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, ભાજપના પૂર્વ ધારાસભ્ય પુરોહિત, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ જોડાશે. ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા યોજાયેલ જન આક્રોશ સભામાં લોકો સરકાર સામે વિરોધ વ્યક્ત કરીને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરશે.

-> વેપારીઓની માગ પૂર્ણ કરો :- તો બીજી તરફ વેપારીઓ કહી રહ્યા છે કે, અમારે માલ સામાન સહિતના વિવિધ કામો માટે બનાસકાંઠા પાલનપુર અનુકૂળ છે જેને લઈને અમે વિરોધ કરી રહ્યા છીએ. જો માંગ નહીં સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું.

Related Posts

“મારી ખેતી મારૂ ગર્વ” – “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” | PROMO

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ…“B-India કૃષિ રત્ન એવોર્ડ…

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી શરૂ, 4 એપ્રિલ સુધી થશે પૂર્ણ

અમદાવાદમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે વિવાદાસ્પદ બનેલો Hatkeshwar Bridge હવે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને 4 એપ્રિલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *