દાહોદમાં ભૂ-માફીયા બેફામ,ખાણખનીજ વિભાગે કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત

B INDIA દાહોદ : દાહોદમાં ખાણખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. રેતમાફિયા પર ત્રાટકતા સનસનાટી મચી ગઈ છે. ખાણખનીજ વિભાગે દાહોદના પંચેલા ગામેથી કરોડો રૂપિયાનું રેત ચોરીનું કૌભાંડ પકડ્યુ છે. ખાણખનીજ વિભાગની કાર્યવાહીએ રેત માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અત્યાર સુધી બેખોફ ચોરી કરતાં રેતમાફિયા સરકારની આ કાર્યવાહીના લીધે સ્તબ્ધ થઈ ગયા છે.

હોટેલના પાર્કિંગમાંથી રેતીને ઓવરલોડ કરતી 17 ટ્રકો ઝડપવામાં આવી છે. ખાણખનીજ વિભાગે આ કાર્યવાહીમાં કુલ રૂ. 6 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો છે. તેમા 40 લાખ રૂપિયાથી પણ વધુ વસૂલાત થાય તેવી સંભાવના છે. રેતમાફિયા બેફામ બન્યા છે ત્યારે તેમની સામે નક્કર કાર્યવાહી કરવાની જરૂરિયાત વર્તાતી જ હતી. તેમના પર લગામ નાખવું જરૂરી થઈ પડ્યું હતું. તેઓ એકદમ નિરંકુશ બની ગયા હતા. હવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવતા દાહોદના લોકોમાં આનંદ વ્યાપી ગયો છે.

જ્યારે માફિયાઓ ચૂપ થઈ ગયા છે.આગામી સમયમાં પણ રેત માફિયા કે બીજા ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં-જયાં પણ રેતચોરી થતી હશે. અને ગેરકાયદેસર ખનન થતું હશે. ત્યાં કાર્યવાહી કરશે જ, તેથી હવે ચેતવાનો સમય આ માફિયાઓનો છે. જો તેઓ તેમની ગેરકાયદેસરની પ્રવૃત્તિ બંધ નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related Posts

Major Fire 2026 At Gandhinagar New Sachivalaya : સચિવાલયના બ્લોક 9 માં શોર્ટ સર્કિટના કારણે આગ

Fire ગાંધીનગરના નવા સચિવાલયના બ્લોક નંબર-9ના બેઝમેન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી. બેઝમેન્ટમાં રાખવામાં આવેલા રેકોર્ડ બળીને ખાક થયા હોવાની માહિતી, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો. ગાંધીનગરના નવા સચિવાલયમાં આગથી અફરાતફરી ગુજરાતની રાજધાની ગાંધીનગરમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના નવા સચિવાલયના બ્લોક નંબર-9માં આગ Fire લાગવાની ઘટના બનતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આગ બ્લોક નંબર-9ના બેઝમેન્ટમાં લાગી હતી. બેઝમેન્ટમાં આગ ઝડપથી ફેલાતા ત્યાં રાખવામાં આવેલા રેકોર્ડને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર કર્મચારીઓની કામગીરી બાદ આગને નિયંત્રણમાં લેવામાં આવી હતી. આગની ઘટના બાદ સચિવાલય પરિસરમાં સુરક્ષા અને આગના…

World Lion Day 2026 Gujarat’s Pride ‘King Of The Jungle’ : ગરવી ગુજરાતના સાવજનું ગૌરવ

World Lion Day 2026 નિમિત્તે જાણો ગુજરાતના ગીરના એશિયાટિક સિંહો વિશે. ગીર એ એશિયાટિક સિંહોનું વિશ્વનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. સિંહ સંરક્ષણ, પર્યાવરણ અને ગીરની જૈવવિવિધતા વિશે વાંચો. વિશ્વ સિંહ દિવસ 2026: ગુજરાત અને ગીર માટે ગૌરવનો દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ World Lion Day એટલે કે વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ વિશ્વભરમાં સિંહોના સંરક્ષણ, તેમના કુદરતી રહેઠાણના રક્ષણ અને વન્યજીવો પ્રત્યે જાગૃતિ વધારવાનો છે. વિશ્વ સિંહ દિવસના અવસરે ભારત માટે અને ખાસ કરીને ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું ગીર ક્ષેત્ર એશિયાટિક સિંહોનું વિશ્વનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. ગીરનું નામ માત્ર ગુજરાતની ઓળખ સાથે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના વન્યજીવન સંરક્ષણના નકશા પર વિશેષ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *