ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલના રિમાન્ડ મંજૂર, તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા

B INDIA અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પર ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન આજે ખ્યાતિ હોસ્પિટલ ચેરમેન કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ક્રાઇમ બ્રાન્ચે અનેક મુદ્દાઓની તપાસ માટે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ત્યારે કોર્ટે કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.  ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય આરોપી કાર્તિક પટેલને 28 જાન્યુઆરી 11 વાગ્યા સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે
આરોપી કાર્તિક પટેલના વકીલે બચાવ કરતા કહ્યું હતું કે, રિમાન્ડના કોઇ પણ મુદ્દાઓ થકી પોલીસ કસ્ટડીની જરૂર નથી. રિમાન્ડ કન્ફેશનલ સ્ટેટમેન્ટ કહેવાય નહીં, ગુનો બન્યો ત્યારે કાર્તિક પટેલ અહીં હાજર નહતા. આ ઘટનાનું દુ:ખ અમને પણ છે.’ એક વ્યક્તિ પાસે PMJAY કાર્ડ પણ નહોતું અને અમે તેને ટ્રીટમેન્ટ આપી હતી.
વધુમાં વકીલે બચાવ કરતા કહ્યું હતું કે, નાના ગામડાઓના લોકો માટે આ કેમ્પ થયા અને યોજના પણ એવું જ કહે છે એટલે કેમ્પ કરવામાં આવ્યા હતા. અમે તપાસમાં સહકાર આપવા માટે તૈયાર છીએ અને અમારા તો બેન્ક એકાઉન્ટ પણ ફ્રીઝ કરેલા છે.

Related Posts

ગુજરાત સરકારમાં વહીવટી ફેરફાર: રૂપવંત સિંઘ બન્યા મુખ્ય રાજ્ય કર કમિશનર, આલોક કુમાર પાંડેને આદિજાતિ વિકાસ કમિશનરની જવાબદારી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીઓની મહત્વપૂર્ણ બદલી કરવામાં આવી છે. વહીવટી તંત્રમાં કરવામાં આવેલા આ ફેરફારો અંતર્ગત રૂપવંત સિંઘ અને આલોક કુમાર પાંડેને નવી જવાબદારીઓ સોંપવામાં આવી…

કચ્છમાં રેલ વિકાસને નવી ગતિ: ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી

કચ્છમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના આદિપુર-ભુજ રેલવે સેક્શનના 49 કિલોમીટર લાંબા ડબલિંગ (બેવડી લાઇન) પ્રોજેક્ટને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *