જામનગરમાં ગોઝારો અકસ્માત, કારે પલટી મારતા 3 લોકોના મોત, બે ઈજાગ્રસ્ત

B india જામનગર :- જામનગરના ધ્રોલમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. કાર પલટી જતા ત્રણ લોકોના મોત થયા છે. જેમા લતીપર-ગોકુળપુર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે .આ અકસ્માતમાં બે વ્યકિતઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

-> કારે પલટી મારતા 3 લોકોના મોત :- જામનગરમાં ધ્રોલના લતીપર અને ગોકુળપુરની વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે. જેમાં પોલીસે અકસ્માત કઈ રીતે થયો અને કઈ રીતે કારે પલટી મારી તે દિશામાં તપાસ હાથ ધરી છે. હાલમાં મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં ત્રણ લોકોનાં માત થાય છે. જેમાં મૃત્યુ પામનાર રીસીભાઇ લતીપર ગામના રહેવાસી હતા. જ્યારે ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા જામનગરનાં રહેવાસી હતા.તો વિવેકભાઈ દિનેશભાઈ પરમાર એ જામનગર શ્રીજી હોલ પાસે રહેતા હતા.

Related Posts

શું હવે પાણીથી ચાલશે તમારી કાર? ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિનો થયો આરંભ!

ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિ: ૨૧મી સદીના ભારતનું પર્યાવરણને અનુકૂળ ‘સુપર-ફ્યુઅલ’ નવી દિલ્હી: વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ જળવાયુ પરિવર્તન (Climate Change) અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું…

શહેરીકરણની નવી ક્રાંતિ: દિલ્હી-NCR માં આકાર લેશે ‘નમો સિટીઝ’, જાણો તેની મુખ્ય વિશેષતાઓ

‘નમો સિટીઝ’: દિલ્હી-NCR ના ભવિષ્ય માટેનું એક ક્રાંતિકારી શહેરી વિકાસ મોડેલ   નવી દિલ્હી: ભારત સરકાર દ્વારા દેશના શહેરીકરણના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ગણાય તેવો અત્યંત મહત્વકાંક્ષી ‘નમો સિટીઝ’ (Namo Cities)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *