આજે પતંગ રસિકોને પડશે મોજ, આખો દિવસ રહેશે સારો પવન

રાજયમાં વાસી ઉત્તરાયણ પર્વેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આજે 15 જાન્યુઆરીના રોજ સારો પવન રહેશે. સાથે સાથે વાસી ઉત્તરાયણના દિવસે ઠંડીનો ચમકારો યથાવત રહેશે અને નલિયાનું તાપમાન 6.8 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અને આવતીકાલથી ઠંડીથી આંશિક રાહત મળશે.

-> ક્યાં કેટલું તાપમાન ? :- પવનની ગતિ 5 થી 10 કિમીની ઝડપની રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 15.1 ડિગ્રી, ગાંધીનગરમાં 14.2 ડિગ્રી,નલિયામાં 6.8 ડિગ્રી, ડીસામાં 13.2 ડિગ્રી,વડોદરામાં 16.4 ડિગ્રી, રાજકોટમાં 13.1 ડિગ્રી,પોરબંદરમાં 15.3 ડિગ્રી, કેશોદમાં 13.3 ડીગ્રી,મહુવામાં 16.1 ડિગ્રી તાપમાન રહેશે.

બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી.

ઉલ્લેખનિય છે કે, છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *