ક્રિકેટર સાથે દિલ્હી એરપોર્ટ પર થયું ગેરવર્તન, જાણો શું છે મામલો

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન અભિષેક શર્માની સાથે દિલ્હી એરપોર્ટ પર ગેરવર્તૂણ થઈ છે.દિલ્હી એરપોર્ટ પર ડાબા હાથના ભારતીય ઓપનર સાથે જે પણ થયું તે તેણે પોતે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. અભિષેક શર્મા ઈન્ડિગો અને તેના સ્ટાફ સાથે આ સમગ્ર ઘટના જોડાયેલી છે. તેણે જણાવ્યું કે દિલ્હી એરપોર્ટ પર સ્ટાફ મેમ્બરના ગેરવર્તણૂકને કારણે તેની ફ્લાઈટ પણ ચુકાઈ ગઈ હતી.અભિષેક પોતાની રજા પર ક્યાંક જઈ રહ્યો હતો અને સમયસર એરપોર્ટ પહોંચી ગયો હતો, પરંતુ ઈન્ડિગોના કર્મચારીઓની બેદરકારીને કારણે અભિષેક તેની ફ્લાઈટ ચૂકી ગયો.

આ પછી તેણે સોશિયલ મીડિયા દ્વારા ઈન્ડિગો અને તેના કર્મચારીઓ પર નિશાન સાધ્યું છે. અભિષેકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, ‘ મને ઈન્ડિગો સાથે દિલ્હી એરપોર્ટ પર સૌથી ખરાબ અનુભવ થયો અને સ્ટાફનું વર્તન, ખાસ કરીને કાઉન્ટર મેનેજર સુષ્મિતા મિત્તલ સંપૂર્ણપણે અસ્વીકાર્ય હતું. હું સમયસર યોગ્ય કાઉન્ટર પર પહોંચ્યો, પરંતુ તેઓએ મને બિનજરૂરી રીતે બીજા કાઉન્ટર પર મોકલી દીધો. બાદમાં મને કહેવામાં આવ્યું કે ચેક-ઈન બંધ થઈ ગયું છે, જેના કારણે હું મારી ફ્લાઈટ ચૂકી ગયો.અભિષેકે આગળ લખ્યું, ‘મારી પાસે માત્ર એક દિવસની રજા હતી.

જે હવે સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. સૌથી ખરાબ બાબત એ છે કે તેઓ કોઈ વધુ સહાયતા આપતા નથી. આ અત્યાર સુધીનો સૌથી ખરાબ એરલાઇન અનુભવ છે અને મેં ક્યારેય જોયેલું સૌથી ખરાબ સ્ટાફ મેનેજમેન્ટ છે.અભિષેક શર્માએ હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ માટે પસંદગી કરવામાં આવી છે. તે આ સીરિઝમાં સંજુ સેમસનની સાથે ભારતીય ઈનિગ્સની શરુઆત કરી શકે છે. અભિષેક શર્મા હાલમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેમણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં સારા રન બનાવ્યા છે.

Related Posts

ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી.…

Gandhinagar : બજેટ સત્ર શરૂ થતાં પહેલા વિધાનસભા પર છવાયો પરંપરાગત અને સાંસ્કૃતિક કલા-કારીગરીનો રંગ, જાણો વિગત

ગાંધીનગર : ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *