
-> બેટ દ્વારકામાં કરાયું હતું ડિમોલિશન :- દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ પંથકના યાત્રાધામ સહિતના મહત્વપૂર્ણ જગ્યાઓમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતુ. તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના આવળપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, હાલ બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કરોડોની જમીન પરના દબાણો દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાના માર્ગ દર્શન હેઠળ ડિમોલિશનની કામગીર કરવામાં આવી રહી છે. DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત છે સાથે સાથે અગાઉ પણ હર્ષદ, નાવદ્રા, ભોગાત બંદરે પણ ડિમોલિશન થયું હતું.હજી પણ જેટલી સરકારી જમીનો પર બાંધકામ હશે તે દૂર કરવામાં આવશે.






