રાજકોટના આ મેદાન પર રમાશે મેચ, ભારતીય મહિલા ટીમ આયર્લેન્ડ સામે ત્રણ મેચની ODI સીરિઝ રમશે

B INDIA રાજકોટ :- ભારતીય મહિલા ટીમ અને આયરલેન્ડની મહિલા ટીમ વચ્ચે 3 મેચની વનડે સીરિઝની પહેલી મેચ 10 જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહી છે. બંન્ને ટીમ વચ્ચે પહેલી મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય મહિલા ટીમ 2025 ની શરૂઆતમાં આયર્લેન્ડ મહિલા ટીમ સામે ત્રણ મેચની ODI સીરિઝ રમશે, જેના માટે બંને ટીમોની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ છે.ભારતીય ટીમની નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌરને આરામ આપવામાં આવ્યો છે અને તેમના સ્થાને સ્મૃતિ મંધાના કેપ્ટનશીપની જવાબદારી સંભાળશે.

દીપ્તિ શર્માને વાઈસકેપ્ટન બનાવવામાં આવી છે. ભારતીય મહિલા ટીમ આજ સુધી આયર્લેન્ડ મહિલા ટીમ સામે ક્યારેય ODI મેચ હારી નથી.આપને જણાવી દઈએ કે, આ મેચ રાજકોટમાં રમાવાની છે. બંન્ને ટીમ વચ્ચે પહેલી મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં 10 જાન્યુઆરીના રોજ રમાશે. આ સ્ટેડિયમમાં પહેલી વખત મહિલા ક્રિકેટ ટીમ કોઈ ODI મેચ રમશે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ અહી ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી ચૂકી છે.

રાજકોટના ચાહકો માટે તે એક રોમાંચક ક્ષણ હશે જ્યારે કોઈ મહિલા ટીમ ત્યાં પહેલીવાર ODI મેચ રમશે. વનડે સીરિઝ માટે ભારતીય ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓને તક મળી છે. રાજકોટના ચાહકો માટે તે એક રોમાંચક ક્ષણ હશેભારતીય મહિલા ટીમમાં હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગેજ, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા અને રિચા ધોષને તક મળી છે. તો પ્રતિકા રાવલે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ડેબ્યુ કર્યું હતુ. આ વખતે પણ તે મંધાનાની સાથે ઓપનિંગ કરતી જોવા મળશે.

Related Posts

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી

રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ મધ્ય પ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.…

ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં મોટા પાયે પ્રમોશન: તલાટી વર્ગ 3 અને કારકૂન કર્મચારીઓની એકસાથે બઢતી

ગુજરાતના મહેસૂલ વિભાગમાં વહિવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે અંદાજે 800 કર્મચારીઓને એકસાથે પ્રમોશન આપ્યું છે. આ સાથે, 80 નાયબ મામલતદારોને વિવિધ જિલ્લાઓમાં બદલીના ઓર્ડર પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *