પટનાના ગાંધીમેદાનમાંથી પોલીસે પ્રશાંત કિશોરની ધરપકડ કરી , JDU નેતાએ કહ્યું ‘ડ્રામેબાજ’ નેતા

બિહારની રાજનીતિ માટે આજનો દિવસ મહત્વનો છે. પટના પોલીસે સવારે પ્રશાંત કિશોરની ગાંધી મેદાનમાંથી ધરપકડ કરી છે. પોલીસ તેમને લઇને એમ્સ પહોંચી હતી. જ્યાં પ્રશાંત કિશોરે સારવાર લેવાનો ઇન્કાર કરી દીધો હતો..એમ્સની બહાર મોટી સંખ્યામાં પ્રશાંત કિશોરના સમર્થકો ઉમટ્યા હતા, પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો.. થોડા સમય પછી પ્રશાંત કિશોરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે બીજી તરફ પીકેની ધરપકડને લઈને નિવેદનબાજી તેજ થઇ ગઇ છે.પ્રશાંત કિશોરની ધરપકડને લઈને JDU MLC નીરજ કુમારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે પીકેને ડ્રામેબાજ નેતા ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે વહીવટીતંત્રની અપીલ ન માનીને હઠ પર ચઢેલા પીકે આંદોલન ચલાવી રહ્યા હતા.

-> પીકે પોલિટિકલ ડ્રામા કરી રહ્યા છે :- જેડીયુ એમએલસી નીરજકુમારે જણાવ્યું હતું કે પ્રશાંત કિશોર ગાંધી મેદાનમાં હાઈકોર્ટના નિર્દેશનો સતત અનાદર કરી રહ્યા હતા. વહીવટીતંત્ર આગ્રહ કરી રહ્યું હતું પરંતુ તેઓ જીદ પર અડ્યા રહ્યા હતા..

-> પીકે પોતાનો રાજકીય ચહેરો ચમકાવવા માંગે છે :- નીરજ કુમારે કહ્યું કે પીકે માત્ર પ્રસિદ્ધિના ભૂખ્યા છે અને બિહારના લોકો જાણે છે કે અત્યંત પછાત વર્ગની આંગણવાડી કાર્યકરનો પુત્ર આજે BPSCનો ટોપર બન્યો છે, તો તે માત્ર પરીક્ષામાં પારદર્શિતાના કારણે જ શક્ય બન્યું છે. તેમણે પ્રશાંત કિશોર પર નિશાન સાધતા કહ્યું કે કંપની ચલાવવી અલગ બાબત છે અને રાજનીતિ કરવી અલગ બાબત છે. રાજકારણ એ તમારી ક્ષમતા બહારની વસ્તુ છે. કારણ કે તમે વેનિટી વાનમાં રહેતા લોકો છો. આવા આરામદાયક જીવન ધરાવતા લોકો છો, જનતા આવા લોકોને પસંદ નથી કરતી અને નવી પેઢી જાણે છે અને ઓળખે છે કે તમારે માત્ર રાજકારણમાં ચમકવું છે.

Related Posts

લાઠીચાર્જ : ઝારખંડમાં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ: પૂર્વ પરીક્ષા વડાની ધરપકડથી હંગામો, જાણો સમગ્ર મામલો, Fierce Protest

ઝારખંડમાં વિવિધ માંગણીઓને લઈને પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના અહેવાલો વચ્ચે પૂર્વ પરીક્ષા વડાની ધરપકડથી મામલો ગરમાયો છે. જાણો સમગ્ર ઘટનાક્રમ. ઝારખંડમાં પરીક્ષા અને ભરતી પ્રક્રિયાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજકીય અને વહીવટી માહોલ ગરમાયો છે. વિવિધ માંગણીઓને લઈને રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. બીજી તરફ, આ સમગ્ર મામલા સાથે જોડાયેલા પૂર્વ પરીક્ષા વડાની ધરપકડ કરવામાં આવતાં વિવાદે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રદર્શનકારીઓ દ્વારા પરીક્ષા પ્રક્રિયા, પરિણામો અને ભરતી સંબંધિત મુદ્દાઓને લઈને પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થિતિ વણસતી જતાં પોલીસ…

Patriotic Fervor In Gujarat Capital : વિકસિત ભારત 2047 માટે ‘રાષ્ટ્ર પ્રથમ’ National Pride નો સંકલ્પ

Gujarat ગાંધીનગરમાં રાજ્યકક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો. ‘હર ઘર તિરંગા’ને ‘હર દિલ તિરંગા’નું જન આંદોલન બનાવવા મુખ્યમંત્રીનું આહવાન. ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા પ્રત્યે દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવવાના હેતુથી ગાંધીનગરમાં રાજ્યકક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આ વિશાળ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનને ‘હર દિલ તિરંગા’નું જન આંદોલન બનાવવા દેશવાસીઓને આહવાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં 9થી 17 ઓગસ્ટ દરમિયાન તિરંગા યાત્રા સહિત વિવિધ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ સ્વતંત્રતાના અમૂલ્ય વારસાને યાદ કરવાનો, સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને નમન કરવાનો અને નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે. ગાંધીનગરમાં દેશભક્તિનો માહોલ ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *