ડોક્ટર મનમોહનસિંહનું યોગદાન હમેંશા યાદ કરવામાં આવશેઃ મોહન ભાગવત

દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે ગુરુવારે દિલ્હી AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધા. દેશના એવા પીએમમાં ​​મનમોહન સિંહનું નામ સામેલ છે, જેમના વખાણ વિપક્ષો પણ કરે છે. આરએસએસના વડા મોહન ભાગવતે પૂર્વ પીએમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતના પૂર્વ વડાપ્રધાન અને દેશના વરિષ્ઠ નેતા ડૉ. સરદાર મનમોહન સિંહના નિધનથી સમગ્ર દેશ અત્યંત શોકની લાગણી અનુભવી રહ્યો છે.

-> પૂર્વ PMના નિધન પર RSS ચીફે શું કહ્યું? :- આરએસએસ ચીફે કહ્યું, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમના પરિવાર અને અસંખ્ય પ્રિયજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. ડૉ. મનમોહન સિંહ, એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવા છતાં, દેશના સર્વોચ્ચ પદને શોભાવ્યું હતું. પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તે દિવંગત આત્માને મોક્ષ આપે.

-> સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત :- પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન, ભારતના તમામ સ્થળોએ જ્યાં રાષ્ટ્રીય ધ્વજ નિયમિતપણે લહેરાતો હોય ત્યાં ત્રિરંગો અડધી કાઠીએ રહેશે.. રાષ્ટ્રીય શોકના સમયગાળા દરમિયાન કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો થશે નહીં. ગૃહ મંત્રાલયે કહ્યું કે અંતિમ સંસ્કારના દિવસે વિદેશમાં તમામ ભારતીય દૂતાવાસોમાં પણ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે.

-> મનમોહન સિંહના નિધન પર પીએમ મોદીની પ્રતિક્રિયા :- મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે તેઓ ભારતના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંના એક હતા અને તેમણે દેશની આર્થિક નીતિ પર ઊંડી છાપ છોડી છે. પીએમ મોદીએ કહ્યું, “તેમણે નાણામંત્રી સહિત વિવિધ સરકારી હોદ્દા પર સેવા આપી હતી અને વર્ષોથી અમારી આર્થિક નીતિ પર ઊંડી છાપ છોડી હતી. સંસદમાં તેમનો હસ્તક્ષેપ પણ વ્યવહારિક હતો’

Related Posts

શું છે આ 1200 કિમી ચાલતી કારનું અસલી રહસ્ય? પેટ્રોલ અને બેટરીની એવી જુગલબંધી જે તમે ક્યારેય નહીં જોઈ હોય!

નવી દિલ્હી / અમદાવાદ: ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરમાં અત્યાર સુધી જેની માત્ર ચર્ચાઓ ચાલતી હતી, તે ક્રાંતિની હવે સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે. વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની BYD…

આણંદ: સ્વચ્છતાના નામે નેતાઓનું 5 મિનિટનું ‘ફોટો સેશન’!

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ ભાજપની ચૂંટાયેલી પાંખ હવે એક્શનમાં તો આવી છે, પણ આ એક્શન જનતાની સેવા માટે છે કે પછી સોશિયલ મીડિયા પર ‘રીલ્સ’ અને ‘ફોટો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *