મનમોહન સિંહના નિધન પર પાકિસ્તાનથી આવી પ્રતિક્રિયા, ફવાદ ચૌધરીએ કહ્યું ભારતની સમૃદ્ધિ તેમના વિઝનનું પરિણામ

ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના નેતા ફવાદ ચૌધરીએ પૂર્વ ભારતીય પીએમ મનમોહન સિંહને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી. ફવાદ ચૌધરીએ એક્સ પર લખ્યું, ‘ડૉ. મનમોહન સિંહના નિધન વિશે જાણીને દુઃખ થયું. આજે ભારત જે આર્થિક સ્થિરતા માણી રહ્યું છે તે મોટાભાગે તેમની દૂરંદેશી નીતિઓને કારણે છે,

-> ફવાદ ચૌધરીએ વીડિયો જાહેર કર્યો :- પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન પર એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે થોડા સમય પહેલા જ મને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનના સમાચાર મળ્યા. મનમોહન સિંહ જીનો જન્મ અમારા જેલમ જિલ્લાના કાલા ગામમાં થયો હતો, જ્યાં તેમણે તેમનું શિક્ષણ મેળવ્યું હતું, તેઓ ભારત આવ્યા હતા. ભારતની વર્તમાન આર્થિક સમૃદ્ધિ મોટાભાગે મનમોહન સિંહજીના વિઝનનું પરિણામ છે, જેના પર આજે ભારત ઊભું છે

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ તેમના પુસ્તકમાં મનમોહનસિંહની ખુબ પ્રશંસા કરેલી છે. તેમણે મનમોહનસિંહને બુદ્ધિમાન, વિચારશીલ અને નિષ્ઠાવાન નેતા ગણાવ્યા હતા.તેમણે મનમોહનસિંહને ભારતમાં આવેલા આર્થિક બદલાવના શિલ્પી કહ્યા હતા અને કહ્યું હતું કે જ્યારે મનમોહનસિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે.

Related Posts

Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

મધર્સ-ડે/ ઐતિહાસિક ધરોહર ઉપરકોટનાં કિલ્લામાં નોકરી કરતા સ્ટાફની માતાઓએ માણી મોજ

આપણી સંસ્કૃતિ પ્રમાણે મધર્સ-ડે હોય જ ન શકે, કારણ કે આપણી સંસ્કૃતિમાં માઁ ને ભગવાન કરતા પણ ઉપરનો દરજ્જો પ્રાપ્ત છે. અહીં માઁ નો દિવસ હોય જ ન શકે અહીં તો સમગ્ર જીવન અને જીવન પર્યાતનો કાળ પણ માઁ માટે સમર્પિત છે. પરંતુ આજે વિશ્વની તમામ સંસ્કૃતિ એક સાથે ચાલતી દેખાય છે. અને સનાતની ભારત તમામને નાત-જાત, દેશ, ઘર્મને સાથે રાખીને ચાલતો દેશ છે. ભારતએ વિશ્વનો એક માત્ર એવો દેશ છે જેની માતૃ વિભક્તિ છે અને માટે જ ભારત માતા ની જય કહેવામાં આવે છે. આવા ઐતિહાસિક દેશનાં ઐતિહાસિક જૂનાગઢનાં ઐતિહાસિક સ્થળ એવા ઉપરકોટનાં કિલ્લા ખાતે પણ માઁ માટે અને માઁ સાથે ઉજવણી કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *