સંભલમાંથી દોઢસો વર્ષ જુની વાવ મળી આવી, વાવના પ્રવેશદ્વાર પર પ્રાચીન કોતરણીના નિશાન

યુપીના સંભલમાં એક પ્રાચીન વાવ મળી આવી છે. ચંદૌસીના લક્ષ્મણ ગંજ વિસ્તારમાં બે દિવસના ખોદકામ બાદ લગભગ 150 વર્ષ જૂની અને 400 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી આ વાવ મળી આવી. મળતી માહિતી મુજબ, આ વાવ 250 ફૂટ ઊંડી છે.માહિતી આપતાં ચંદૌસી નગરપાલિકાના કાર્યકારી અધિકારી કૃષ્ણ કુમાર સોનકરે જણાવ્યું હતું કે આ જગ્યાનું ખોદકામ શનિવારે શરૂ થયું હતું. લગભગ 46 વર્ષથી બંધ પડેલા ભસ્મ શંકર મંદિરને 13 ડિસેમ્બરે ખોલવામાં આવ્યા બાદથી આ ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

-> અતિક્રમણ વિરોધી કામગીરી દરમિયાન શોધાયેલ માળખું :- અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને અતિક્રમણ વિરોધી કામગીરી દરમિયાન માળખા વિશે માહિતી મળી હતી. આ સમયગાળા દરમિયાન, અહીં બે ક્ષતિગ્રસ્ત મૂર્તિઓ મળી આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે તેનું નિર્માણ બિલારીના રાજાના દાદાના શાસન દરમિયાન થયું હતું.સંભલના ડીએમ રાજેન્દ્ર પેન્સિયાએ જણાવ્યું હતું કે પુરાતત્વીય સર્વે દ્વારા આ પ્રાચીન વાવનો સર્વે હાથ ધરવાની શક્યતા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જરૂર પડશે તો ASIને પણ વિનંતી કરવામાં આવશે. તેમણે કહ્યું કે અંદાજ મુજબ આ વાવ લગભગ 125 થી 150 વર્ષ જૂની છે. તેમણે વાવ પાસે આવેલા બાંકે બિહારી મંદિર વિશે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ મંદિરની હાલત અત્યારે સારી નથી.

-> સ્ટેપવેલની અંદર 4 દરવાજા :- ડીએમ રાજેન્દ્ર પેંસિયાએ જણાવ્યું કે તેનો ઉપરનો માળ ઇંટોથી બનેલો છે, જ્યારે બીજો અને ત્રીજો માળ માર્બલનો છે. તેમાં ચાર રૂમ અને એક કૂવો પણ છે. ખોદકામ દરમિયાન અત્યાર સુધીમાં સ્ટેપવેલની અંદર 4 દરવાજા મળી આવ્યા છે. મૂર્તિઓ ધરાવતા એક ડઝનથી વધુ માળખાઓ મળી આવ્યા છે અને વાવના પ્રવેશદ્વાર પર પ્રાચીન કોતરણીના નિશાન પણ મળી આવ્યા છે.તેમણે વધુમાં કહ્યું કે સ્ટ્રક્ચરને નુકસાન ન થાય તે માટે સાવચેતીપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે. હાલ માટે, ખોદકામ ચાલુ રહેશે અને વિસ્તારમાંથી અતિક્રમણ દૂર કરવામાં આવશે.

-> મંદિરમાંથી બે મૂર્તિઓ મળી :- બાંકે બિહારી મંદિર અંગે ડીએમએ કહ્યું કે આ મંદિરમાંથી 2 મૂર્તિઓ મળી આવી છે. તેમણે કહ્યું કે મંદિરના સમારકામ માટે જરૂરી પગલાં લેવામાં આવશે. બે દિવસ પહેલા આયોજિત એક જાહેર સભા દરમિયાન ચંદૌસીના રહેવાસી કૌશલ કિશોરે જિલ્લા કાર્યાલયને પ્રાચીન વાવ વિશે જણાવ્યું હતું. આ દરમિયાન કૌશલ કિશોરે બાંકે બિહારી મંદિરની બગડતી હાલત વિશે પણ વાત કરી. તેમણે દાવો કર્યો કે પહેલા અહીં હિન્દુ સમુદાયના લોકો રહેતા હતા.

Related Posts

લગ્નના માંડવેથી પરીક્ષા ખંડ સુધી: રાધનપુરમાં નવદંપતીએ લગ્ન પહેલાં શિક્ષણને આપી પ્રાથમિકતા

રાધનપુર: લગ્નના મંડપમાંથી સીધા પરીક્ષા હોલ સુધી.વરરાજા અને કન્યાએ શિક્ષણને આપી પ્રથમ પ્રાથમિકતા.સમાજને પ્રેરણાદાયક સંદેશ આપતા વિદ્યાર્થીઓ

ખેડા : નડિયાદના ચકલાસીગામમાં બાજરીના ખેતરમાં યુવકની હત્યા.

ખેડા : નડિયાદના ચકલાસીમાં બાજરીના ખેતરમાં યુવકની હત્યા.અરવિંદ વાઘેલાની તીક્ષ્ણ હથિયારથી હત્યા.ચકલાસી PI, LCB, SOG અને DYSP સહિત ટીમો સ્થળે.FSL અને ડોગ સ્ક્વોડથી તપાસ તેજ, મહત્વના સૂત્રો મળ્યા.ઘટના સ્થળેથી તૂટેલો દંડો અને બળેલો મોબાઈલ મળી આવ્યો.પ્રેમપ્રકરણની આશંકા, 4 સગીરો શંકા હેઠળ, 1 ડિટેન, તપાસ ચાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *