સુપ્રીમ કોર્ટે કહ્યું કાયદો મહિલાઓની સુરક્ષા-સશક્તિકરણ માટે છે, પરંતુ કેટલીક મહિલાઓ તેનો દુરુપયોગ કરે

લગ્નને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે લગ્ન એ કોઈ વ્યવસાયિક સાહસ નથી અને મહિલાઓ માટે કાયદાની જોગવાઈઓ તેમના કલ્યાણ માટે છે અને તેમના પતિઓને સજા કરવા માટે નથી. કોર્ટે આ ટિપ્પણી એક કેસની સુનાવણી દરમિયાન કરી હતી. જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ પંકજ મિથલની બેન્ચે કહ્યું કે હિંદુ લગ્ન એક પવિત્ર પ્રથા છે. આ પરિવારનો પાયો છે. આ કોઈ વ્યાપારી સાહસ નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહિલાઓએ એ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે કે કાયદાની આ કડક જોગવાઈઓ તેમના પોતાના કલ્યાણ માટે છે અને તેમના પતિને સજા કરવા, ડરાવવા, વર્ચસ્વ મેળવવા કે તેમના પાસેથી જબરજસ્તી વસુલી માટે નથીફોજદારી કાયદાની જોગવાઈઓ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે છે પરંતુ કેટલીકવાર કેટલીક મહિલાઓ તેનો દુરુપયોગ કરે છે. અને એવા ઉદ્દેશ્યો માટે તેનો ઉપયોગ કરે છે, જેના માટે તે બનાવાયા નથી

-> કેટલીક મહિલાઓ કાયદાનો દુરુપયોગ કરે છે – SC :- જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ પંકજ મિથલની ખંડપીઠે અલગ રહેતા કપલના લગ્નને રદ્દ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. આ કેસમાં પતિને એક મહિનાની અંદર તેની છૂટી ગયેલી પત્નીને ભરણપોષણ તરીકે 12 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

-> બેન્ચે કહ્યું કે આ સંબંધ સંપૂર્ણપણે તૂટી ગયો છે. તેથી લગ્ન સમાપ્ત કરવાનો આદેશ આપ્યો :- જો કે, કોર્ટે એવા કિસ્સાઓ પર ચિંતા વ્યક્ત કરી કે જ્યાં કેટલીક મહિલાઓ, ગુનાની ગંભીરતાને જોતા, કાયદાનો દુરુપયોગ કરે છે અને તેમના પતિ અને તેમના પરિવારો પર તેમની માંગણીઓ પૂરી કરવા દબાણ કરે છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે પોલીસ કેટલીકવાર પસંદગીના કેસોમાં ઉતાવળમાં કામ કરે છે. વૃદ્ધ અને પથારીવશ માતા-પિતા અને દાદા-દાદી સહિત પતિ અથવા તેના સંબંધીઓની ધરપકડ કરે છે. FIRમાં ગુનાની ગંભીરતાને કારણે ટ્રાયલ કોર્ટ આરોપીઓને જામીન આપવાનું ટાળે છે.

Related Posts

GSRTC : તહેવારો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોને પરિવહન સેવા પૂરી પાડવા માટે GSRTC સજ્જ છે. Safe Journey

તહેવારો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે GSRTC સજ્જ, પર્યાવરણ સુરક્ષા માટે બાયોડીગ્રેડેબલ બેગ્સનું વિતરણ કરાશે ગાંધીનગર: GSRTC  ગુજરાતમાં તહેવારો અને ધાર્મિક મેળાઓની સિઝન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન અને યાત્રા માટે પહોંચતા હોય છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓને સુગમ, સુરક્ષિત અને વ્યવસ્થિત પરિવહન સેવા મળી રહે તે માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોને પરિવહન સેવા પૂરી પાડવા માટે GSRTC સજ્જ છે. વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ ગાંધીનગર ખાતે GSRTCની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોએ યોજાતા મેળાઓ અને તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓને સરળ અને સુગમ પરિવહન ઉપલબ્ધ કરાવવામાં…

GPCB દ્વારા ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’નું આયોજન,2 લાખ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક Zero Waste

GPCB દ્વારા ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’નું આયોજન, 2 લાખ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક ગાંધીનગર: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ગાંધીનગર ખાતે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. અંબાજી તરફ જતી પદયાત્રાના માર્ગો પર સ્વચ્છતા જાળવવા, ઘન કચરાનું યોગ્ય એકત્રીકરણ અને વ્યવસ્થાપન કરવા તેમજ પદયાત્રીઓ અને નાગરિકોમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ પહેલ છેલ્લા ત્રણ વર્ષથી હાથ ધરવામાં આવી રહી છે. આ વર્ષે સ્વચ્છતા અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન ચાર પ્રાદેશિક કચેરીઓ દ્વારા આશરે 20 હજાર સ્ટીલ બોટલનું વિતરણ કરવામાં આવશે, જ્યારે 2 લાખ પ્લાસ્ટિક બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પદયાત્રા દરમિયાન સિંગલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *