વિદેશ યાત્રા પર નહીં લાગે કોઈ નવો ટેક્સ: PM મોદીએ અહેવાલોને ગણાવ્યા ખોટા અને ભ્રામક

વિદેશ યાત્રા પર વધારાનો ટેક્સ અથવા સેસ લાગુ કરવાની ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. મીડિયામાં આવેલા કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર વિદેશ પ્રવાસ કરનારા લોકો પર વધારાનો ટેક્સ લગાવવાનો વિચાર કરી રહી છે. જોકે, વડાપ્રધાન મોદીએ આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક ગણાવ્યા છે.

પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિદેશ યાત્રા પર કોઈ પ્રકારનો નવો ટેક્સ કે પ્રતિબંધ લાદવાની કોઈ યોજના વિચારણા હેઠળ નથી. તેમણે મીડિયામાં ફરતા અહેવાલોના સ્ક્રીનશોટ પણ શેર કર્યા અને કહ્યું કે આવા સમાચાર પાયાવિહોણા છે.

વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે તેમની સરકાર હંમેશા સામાન્ય નાગરિકો માટે જીવન સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરી રહી છે. સરકારનો ફોકસ લોકો પર વધારાનો આર્થિક બોજ મૂકવાનો નહીં પરંતુ ‘Ease of Living’ અને ‘Ease of Doing Business’ને વધુ મજબૂત બનાવવાનો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને સરકાર વિદેશ પ્રવાસ પર સેસ લગાવી શકે છે. આ અહેવાલોને કારણે લોકોમાં ગૂંચવણ ફેલાઈ હતી. જોકે હવે વડાપ્રધાનની સ્પષ્ટતા બાદ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે.

 

 

 

  • Related Posts

    પેટ્રોલ-ડીઝલ સંકટનો ડર દૂર! ભારત-UAE વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોરેજની ઐતિહાસિક ડીલ

    ભારત અને યુનાઇટેડ આરબ અમીરાત (UAE) વચ્ચે ઊર્જા સુરક્ષાને લઈને એક ઐતિહાસિક કરાર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએઈ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોરેજ…

    ભારત મધ્યસ્થી કરે તો સ્વીકાર્ય: ઈરાનના અરાઘચીનું મોટું નિવેદન, ચાબહાર અને હોર્મુઝ અંગે પણ આપી ખાતરી

    નવી દિલ્હીમાં યોજાયેલી BRICS બેઠક દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ભારતને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો પશ્ચિમ એશિયાના સંકટમાં ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવે તો ઈરાનને…