ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોન અંગે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા, ઈરાની અભિનેત્રી સાથે જોડાઈ અફવાઓ

ઇમેન્યુઅલ મેક્રોન અને તેમની પત્ની બ્રિજિટ મેક્રોન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. સોશિયલ મીડિયા અને કેટલાક ફ્રેન્ચ મીડિયા પ્લેટફોર્મ્સ પર એવી અફવાઓ ફેલાઈ રહી છે કે મેક્રોન અને પ્રખ્યાત ઈરાની અભિનેત્રી ગોલશિફતેહ ફરાહાની વચ્ચેની નજીકતાને કારણે દંપતીના સંબંધોમાં તણાવ ઉભો થયો છે.

વાયરલ વીડિયોથી ફરી ચર્ચા ગરમાઈ
થોડા સમય પહેલાં વિદેશ પ્રવાસ દરમિયાન મેક્રોન અને બ્રિજિટ વચ્ચે થયેલી કહેવાતી ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોને લઈને અનેક પ્રકારના દાવા કરવામાં આવ્યા હતા, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હવે તે જ ઘટનાને કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ નવા દાવાઓ સાથે જોડીને ફરી વાયરલ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર શું દાવો થઈ રહ્યો છે?
કેટલાક ઓનલાઈન હેન્ડલ્સ અને અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્રિજિટ મેક્રોને રાષ્ટ્રપતિના ફોનમાં કેટલીક વ્યક્તિગત ચેટ્સ જોઈ હતી, જેના કારણે બંને વચ્ચે તણાવ સર્જાયો. આ દાવાઓમાં ઈરાની અભિનેત્રી ગોલશિફ્ટેહ ફરાહાનીનું નામ પણ જોડવામાં આવી રહ્યું છે. જોકે આ તમામ દાવાઓને સમર્થન આપતા કોઈ સત્તાવાર પુરાવા સામે આવ્યા નથી.

એલિસી પેલેસનું મૌન
એલિસી પેલેસ તરફથી આ મુદ્દે અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતી અફવાઓ અને અસત્યાપિત દાવાઓને સાવધાનીપૂર્વક જોવાની જરૂર છે, કારણ કે આવા દાવાઓ ઘણી વખત રાજકીય ચર્ચાને પ્રભાવિત કરવા માટે પણ ફેલાવવામાં આવતા હોય છે.

મેક્રોન દંપતી હંમેશા ચર્ચામાં
બ્રિજિટ મેક્રોન અને ઇમેન્યુઅલ મેક્રોનના સંબંધો અગાઉથી જ ચર્ચાનો વિષય રહ્યા છે. બ્રિજિટ મેક્રોન ક્યારેય મેક્રોનની શિક્ષિકા રહી ચૂક્યા હતા અને બંને વચ્ચે ઉંમરનો મોટો તફાવત પણ ચર્ચામાં રહ્યો છે. જોકે હાલ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને વિશ્વસનીય સ્ત્રોતો દ્વારા પણ આ અહેવાલોને સમર્થન મળ્યું નથી.

 

 

  • Related Posts

    કેરળના મુખ્યમંત્રીના નામ પર સસ્પેન્સ સમાપ્ત થવાની તૈયારી, રાહુલ-ખડગે વચ્ચે મહત્વપૂર્ણ બેઠક

    રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે કેરળના મુખ્યમંત્રી પદને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ હવે રાજ્યના આગામી મુખ્યમંત્રીના નામ અંગેનો સસ્પેન્સ ટૂંક સમયમાં સમાપ્ત થવાની શક્યતા વ્યક્ત કરવામાં…

    કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત

    કંડલા પોર્ટ ખાતે ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર ઉભેલા જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…