કેન્દ્ર સરકારે ખરીફ પાકોના ટેકાના ભાવમાં કર્યો વધારો, ગુજરાતના ખેડૂતોને મળશે મોટો લાભ

ગુજરાત સહિત દેશભરના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે વર્ષ 2026-27 માટે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની જાહેરાત કરી છે. કેબિનેટ દ્વારા 14 ખરીફ પાકોના નવા MSPને મંજૂરી આપવામાં આવી છે.

સૂર્યમુખી અને કપાસમાં સૌથી મોટો વધારો
સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા દર મુજબ સૂર્યમુખીના બીજના MSPમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે. સૂર્યમુખીના ટેકાના ભાવમાં પ્રતિ મણ ₹124નો વધારો કરવામાં આવ્યો છે.

તે ઉપરાંત:
– કપાસના MSPમાં પ્રતિ મણ ₹111નો વધારો
– મગફળીના MSPમાં પ્રતિ મણ ₹50નો વધારો
કરવામાં આવ્યો છે.

ખેડૂતોને મળશે આર્થિક સુરક્ષા
કેન્દ્ર સરકારનું કહેવું છે કે ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળી રહે અને વધતા ઉત્પાદન ખર્ચ સામે સુરક્ષા મળે તે માટે MSPમાં વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને પશુપાલન, ખાતર, બિયારણ, મજૂરી અને અન્ય ખેતી ખર્ચમાં વધારો થતા ખેડૂતોને રાહત આપવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતના મુખ્ય પાકોને મળશે લાભ
ગુજરાતમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, તુવેર, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. વાવણી શરૂ થાય તે પહેલાં MSP જાહેર થતાં ખેડૂતો હવે પોતાના પાકનું આગોતરું આયોજન સરળતાથી કરી શકશે.

વર્ષ 2026-27 માટે જાહેર કરાયેલા MSP
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા મુખ્ય પાકોના MSP નીચે મુજબ છે:
– મગફળી – ₹7,517 પ્રતિ ક્વિન્ટલ
– કપાસ (લંબતારી) – ₹8,667 પ્રતિ ક્વિન્ટલ
– ડાંગર – ₹2,441 પ્રતિ ક્વિન્ટલ
– જુવાર – ₹4,023 પ્રતિ ક્વિન્ટલ
– બાજરી – ₹2,900 પ્રતિ ક્વિન્ટલ
– મકાઈ – ₹2,410 પ્રતિ ક્વિન્ટલ
– તુવેર – ₹8,450 પ્રતિ ક્વિન્ટલ
– મગ – ₹8,780 પ્રતિ ક્વિન્ટલ
– તલ – ₹10,346 પ્રતિ ક્વિન્ટલ

ગત વર્ષની સરખામણીએ મોટો વધારો

ગયા વર્ષની સરખામણીએ:
– કપાસ (લંબતારી)માં ₹557 પ્રતિ ક્વિન્ટલ
– તલમાં ₹500 પ્રતિ ક્વિન્ટલ
– તુવેરમાં ₹450 પ્રતિ ક્વિન્ટલ
નો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતના મુખ્ય પાક મગફળીના MSPમાં પણ ₹254 પ્રતિ ક્વિન્ટલનો વધારો નોંધાયો છે. ખેડૂત સંગઠનોનું માનવું છે કે MSPમાં વધારો થવાથી ખેડૂતોને આવકમાં સહાય મળશે અને આગામી ખરીફ સીઝનમાં વાવેતર માટે પ્રોત્સાહન મળશે.

  • Related Posts

    NEET પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, 5 આરોપીઓની ધરપકડ

    દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા NEET Paper Leak Case મામલે તપાસ એજન્સીઓને મહત્વપૂર્ણ સફળતા મળી છે. Central Bureau of Investigation (CBI)એ અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. માહિતી અનુસાર ધરપકડ…

    CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ વધુ એક વર્ષ લંબાયો, જાણો શું છે મામલો

    કેન્દ્ર સરકારે Praveen Sood નો Central Bureau of Investigation (CBI) ડિરેક્ટર તરીકેનો કાર્યકાળ વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લીધો છે. કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) દ્વારા 24 મે, 2026થી અમલમાં…