LoC પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, ભારતીય સેનાએ એક આતંકીને ઠાર માર્યો

જમ્મુ અને કાશ્મીર ના પુંછ સેક્ટરમાં મંગળવારે નિયંત્રણ રેખા (LoC) પર ઘુસણખોરીનો પ્રયાસ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. સુરક્ષા દળોની ઝડપી કાર્યવાહીમાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો એક આતંકી માર્યો ગયો હોવાનું સામે આવ્યું છે.

શંકાસ્પદ હલચલ બાદ સેનાની કાર્યવાહી
માહિતી અનુસાર પુંછ જિલ્લામાં LoC નજીક શંકાસ્પદ ગતિવિધિ જોવા મળતાં જ સેનાએ તાત્કાલિક એલર્ટ જાહેર કરી કાર્યવાહી શરૂ કરી હતી. સુરક્ષા એજન્સીઓને સરહદ પારથી આતંકીઓના એક જૂથ દ્વારા ભારતીય વિસ્તારમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ થવાની આશંકા હતી. સેનાએ શંકાસ્પદ લોકોને પહેલા ચેતવણી આપી હતી, પરંતુ આતંકીઓએ ભારતીય ચોકીઓ પર ગોળીબાર શરૂ કર્યો હતો. ત્યારબાદ ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરતા ભારે ફાયરિંગ કર્યું.

અથડામણમાં એક આતંકી ઠાર
બંને તરફથી થયેલી અથડામણ દરમિયાન એક આતંકી ઠાર મારવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તે લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો પાકિસ્તાની આતંકી હોવાનું જાણવા મળ્યું છે. મૃત આતંકી પાસેથી મોટી માત્રામાં ગોળા-બારૂદ અને આધુનિક હથિયારો પણ મળી આવ્યા હોવાનું સુરક્ષા સૂત્રોએ જણાવ્યું છે.

વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ
ઘટના બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને સેનાએ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આતંકીના કેટલાક સાથીદારો નજીકના જંગલ વિસ્તારમાં છુપાયેલા હોઈ શકે છે. સુરક્ષા દળો દ્વારા વિસ્તારના ખુણે-ખુણે તપાસ કરવામાં આવી રહી છે અને તમામ એજન્સીઓને વધુ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. આગામી યાત્રા સીઝન અને સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને LoC પર ઘુસણખોરી વિરોધી વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.

 

 

  • Related Posts

    Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

    ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

    #Transfer/ 72 IAS ની બદલી, હજુ અનેક ઉચ્ચ સનદી અધિકારીઓની બદલીની શક્યતા

    સમય આમુલ પરિવર્તન પાર દર્શક વહીવટનો પાયો કહેવામાં આવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે તેવું ગીતામાં કહેવાયુ છે, હા પરિવર્તન અનેક પ્રકારનાં હોય છે જ્યારે વાત વહીવટી તંત્રની હોય. સજા, સરાહના, સંભાવના, સમર્થતા વિગેરે વિગેરે પણ હાલ વાત પરિવર્તન એટલે કે બદલીની છે તો તેના જ ગીત ગાઇ શકાય.