લગ્નના માંડવેથી પરીક્ષા ખંડ સુધી: રાધનપુરમાં નવદંપતીએ લગ્ન પહેલાં શિક્ષણને આપી પ્રાથમિકતા

રાધનપુર: લગ્નના મંડપમાંથી સીધા પરીક્ષા હોલ સુધી.વરરાજા અને કન્યાએ શિક્ષણને આપી પ્રથમ પ્રાથમિકતા.સમાજને પ્રેરણાદાયક સંદેશ આપતા વિદ્યાર્થીઓ

પાટણ જિલ્લામાં શિક્ષણ પ્રત્યેની લાગણી અને જવાબદારીનો એક અનોખો પ્રસંગ સામે આવ્યો છે. રાધનપુર ખાતે શિવશક્તિ ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત નવનિર્માણ વિદ્યામંદિર કોલેજમાં યોજાયેલી સેમેસ્ટર-૨ની પરીક્ષા દરમિયાન બે વિદ્યાર્થીઓએ પોતાના લગ્ન પ્રસંગ વચ્ચે પણ શિક્ષણને પ્રથમ પ્રાથમિકતા આપી સમાજ માટે આ  પ્રેરણાદાયક સંદેશ કેહવાય.

આ પણ વાંચો:ખેડા : નડિયાદના ચકલાસીગામમાં બાજરીના ખેતરમાં યુવકની હત્યા.

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામના ઠાકોર પિયુષભાઈ પોતાના લગ્ન ફેરા પૂર્ણ કર્યા બાદ સીધા પરીક્ષા આપવા કોલેજ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે શિક્ષણ પ્રત્યેની આ લાગણી તેમને તેમના માતા-પિતાની પ્રેરણાથી મળી છે. એ જ રીતે રામેશ્વર ગામની સોલંકી હિરલબેન દિનેશભાઈ પણ પોતાના લગ્ન પ્રસંગ વચ્ચે સમય કાઢીને પરીક્ષા આપવા પહોંચી હતી…આ અનોખા પ્રસંગે કોલેજના સંચાલક જયરાજસિંહ નાડોદા દ્વારા બંને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને “હરિ મંદિરમાં હોય થાળી” નામનું પ્રેરણાદાયક પુસ્તક અર્પણ કરીને તેમના આ સંકલ્પને બિરદાવવામાં આવ્યો હતો. ખુબ સરસ સમાજ માટે એક ઉતમ ઉદાહરણસાબિત કર્યું છે કેમકે શિક્ષણ પત્યે બહુજ સરસ લાગણી છે.

 #the_wedding _hall #exam #Newlywedsn #Radhanpur_prioritize #education #marriage

Follow us on

  • Related Posts

    ન્યૂઝીલેન્ડે બદલ્યા પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાના નિયમો, ભારતીય વિદ્યાર્થીઓ માટે જાણવી જરૂરી માહિતી

    વિદેશમાં ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી બનાવવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ન્યૂઝીલેન્ડ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડ સરકારે પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા સંબંધિત નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે,…

    એર ઇન્ડિયાનું નવું ‘બેઝિક ફેર’ લોન્ચ, હવે ઓછી કિંમતે કરી શકાશે હવાઈ મુસાફરી

    મુસાફરોને વધુ સસ્તી અને લવચીક મુસાફરીનો વિકલ્પ આપવા માટે Air Indiaએ નવી ‘બેઝિક ફેર’ કેટેગરી શરૂ કરી છે. આ નવી યોજના ખાસ કરીને એવા મુસાફરોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી…