ચીનમાં ‘સુપર સોલ્જર’ પ્રોજેક્ટ? મગજમાં ચિપ લગાવવાની ટેકનોલોજી પર વૈશ્વિક ચિંતા

ટેકનોલોજી અને રક્ષા ક્ષેત્રમાં આગળ રહેવા માટે Chinaએ એક મહત્ત્વાકાંક્ષી અને વિવાદાસ્પદ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. માનવીના મગજમાં ચિપ લગાવવાની ટેકનોલોજી Brain-Computer Interface (BCI) દ્વારા ભવિષ્યમાં “સુપર સોલ્જર” બનાવવાની શક્યતાઓને લઈને વૈશ્વિક સ્તરે ચર્ચા તેજ બની છે.

હાવર્ડના પૂર્વ પ્રોફેસર પ્રોજેક્ટના કેન્દ્રમાં
આ પ્રોજેક્ટ સાથે ચાર્લ્સ લિબરનું નામ જોડાઈ રહ્યું છે, જે હાર્વર્ડ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર અને જાણીતા નેનો-વિજ્ઞાનશાસ્ત્રી છે. હાલમાં તેઓ ચીનના Shenzhenમાં એક અદ્યતન લેબમાં કાર્યરત છે અને મગજમાં ચિપ લગાવવાની ટેકનોલોજી પર સંશોધન કરી રહ્યા છે.

શું છે BCI ટેકનોલોજી?
બ્રેઇન-કોમ્પ્યુટર ઇન્ટરફેસ એવી ટેકનોલોજી છે જે માનવીના મગજ અને કમ્પ્યુટર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરે છે. આ ટેકનિકનો ઉપયોગ મુખ્યત્વે પેરાલિસિસ અથવા ALS જેવી ગંભીર બીમારીઓના ઉપચાર માટે થઈ શકે છે. પરંતુ તેની સેનાકીય સંભાવનાઓને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે.

વિવાદાસ્પદ ભૂતકાળ
ચાર્લ્સ લિબરનો ભૂતકાળ પણ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે. 2021માં અમેરિકામાં તેમના પર ચીન સાથેના સંબંધો છુપાવવાના અને આર્થિક ગેરરીતિઓના આરોપ લાગ્યા હતા. ત્યારબાદ તેમને સજા પણ થઈ હતી. સજા પૂર્ણ થયા બાદ તેઓ ચીનમાં સંશોધન કાર્ય માટે ગયા હોવાનું કહેવાય છે.

ચીન દ્વારા વિશાળ સંસાધનો
ચીન સરકારે આ પ્રોજેક્ટ માટે લિબરને અદ્યતન સાધનો અને વિશાળ સંશોધન સુવિધાઓ પૂરી પાડી છે. માહિતી મુજબ, પ્રાથમિક તબક્કામાં પ્રયોગો વાંદરાઓ પર કરવામાં આવી રહ્યા છે, ત્યારબાદ માનવ પર તેનો ઉપયોગ શક્ય બની શકે છે.

અમેરિકાની ચિંતા વધી
આ પ્રોજેક્ટને લઈને પેન્ટાગોન સહિત પશ્ચિમી દેશોમાં ચિંતા વધી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ ટેકનોલોજી સૈન્ય ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાશે, તો ભવિષ્યના યુદ્ધોનું સ્વરૂપ જ બદલાઈ શકે છે. આ વિકાસ ચિકિત્સા ક્ષેત્ર માટે ક્રાંતિ લાવી શકે છે, પરંતુ તેની સૈન્ય અને નૈતિક અસરોએ વૈશ્વિક ચર્ચાને જન્મ આપ્યો છે.

 

 

  • Related Posts

    કરોડો EPF ખાતાધારકો માટે ખુશખબર: 8.25% વ્યાજદરને મંજૂરી, જૂનમાં ખાતામાં જમા થશે રકમ

    દેશના કરોડો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકા વ્યાજદરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ…

    અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

    વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…