કચ્છ જિલ્લામાં દુર્લભ અને સંકટગ્રસ્ત ઘોરાડ પક્ષીના સંરક્ષણ પ્રયાસો વચ્ચે ચિંતાજનક ઘટના સામે આવી છે. તાજેતરમાં જન્મેલું ઘોરાડ પક્ષીનું બચ્ચું અચાનક ગુમ થઈ જતાં વન વિભાગે તેની શિકાર થવાની આશંકા વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી બચ્ચું ન દેખાતા વન વિભાગ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને હાલ ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે.
ઘોરાડ પક્ષી ભારતના સૌથી દુર્લભ પક્ષીઓમાંનું એક છે અને તેની સંખ્યા સતત ઘટતી હોવાથી સંરક્ષણ માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં આ પ્રજાતિનું પુનર્વસન કરવા માટે તાજેતરમાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ હતી. માર્ચ 2026 દરમિયાન રાજસ્થાનમાંથી કૃત્રિમ રીતે ફળદ્રુપ કરાયેલું ઈંડું કચ્છમાં લાવવામાં આવ્યું હતું, જેમાંથી સફળતાપૂર્વક બચ્ચાનો જન્મ થયો હતો. આ ઘટના રાજ્ય માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી હતી.
જન્મેલું બચ્ચું ધીમે ધીમે વિકાસ પામી રહ્યું હતું અને ઉડાન માટે તૈયાર થઈ રહ્યું હતું. તેની ઉપર સતત નિરીક્ષણ રાખવામાં આવતું હતું. જોકે અચાનક તેની ગાયબ થવાની ઘટના સંરક્ષણ પ્રયાસોને ઝટકો આપનારી સાબિત થઈ છે.
આ પ્રોજેક્ટ Wildlife Institute of India અને ભારત સરકારના સંકલનથી આગળ વધારવામાં આવી રહ્યો છે. પ્રથમ પ્રયોગ સફળ રહેતા હવે વધુ ઈંડાં લાવીને બીજા તબક્કાના પ્રયાસો શરૂ કરવાની તૈયારી પણ ચાલી રહી છે.
વન વિભાગ દ્વારા ઘોરાડ પક્ષીની હિલચાલ પર નજર રાખવા માટે બે પક્ષીઓને ટેગ કરવામાં આવ્યા છે. કચ્છનો વિશાળ ઘાસનો વિસ્તાર આ પક્ષી માટે અનુકૂળ હોવાને કારણે અહીં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આ ઘટના પછી નિષ્ણાતોનું માનવું છે કે ઘોરાડ પક્ષીના સંરક્ષણ માટે વધુ કડક પગલાં લેવાની જરૂર છે, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને અને આ લુપ્તપ્રાય પ્રજાતિને બચાવી શકાય.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






