ઈરાનનો અમેરિકાને ટાંકોઃ યુદ્ધના ખર્ચ પર આંકડાઓને લઈને વિવાદ તેજ

મધ્યપૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાન – યુનાઇટેડ સ્ટેટ્સ પર યુદ્ધના ખર્ચ અંગે ખોટી માહિતી આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ દાવો કર્યો છે કે અમેરિકા વાસ્તવિક આંકડાઓ છુપાવી રહ્યું છે અને યુદ્ધનો ખર્ચ જાહેર કરાયેલા આંકડા કરતા ઘણો વધારે છે.

ઈરાનનો મોટો દાવો
અબ્બાસ અરગચીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે પેન્ટાગોન યુદ્ધના ખર્ચ અંગે પારદર્શિતા રાખતું નથી. તેમના મુજબ, અત્યાર સુધીમાં અમેરિકા પર 100 અબજ ડોલરથી વધુનો ખર્ચ આવ્યો છે, જ્યારે સત્તાવાર રીતે માત્ર 25 અબજ ડોલર બતાવવામાં આવ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો કે આ ખર્ચનો બોજ સામાન્ય અમેરિકન નાગરિકો પર પડી રહ્યો છે, અને દરેક પરિવારે દર મહિને આશરે 500 ડોલર જેટલો ભાર સહન કરવો પડી રહ્યો છે.

અમેરિકાનું શું કહેવું?
અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથએ સંસદમાં નિવેદન આપતા કહ્યું હતું કે ઈરાન સામેની સૈન્ય કાર્યવાહી પર અત્યાર સુધીમાં આશરે 25 અબજ ડોલરનો ખર્ચ થયો છે. જોકે, કેટલાક ડેમોક્રેટિક નેતાઓ અને અર્થશાસ્ત્રીઓ આ આંકડાને અધૂરા ગણાવી રહ્યા છે. નિષ્ણાતોના અંદાજ મુજબ યુદ્ધનો કુલ ખર્ચ 630 અબજ ડોલરથી લઈને 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે.

ઈરાની સ્પીકરનો કટાક્ષ
ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલીબાફએ અમેરિકાની નીતિઓ પર કટાક્ષ કરતા કહ્યું કે ઈરાનને ઘેરવું સરળ નથી. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે જો ન્યુ યોર્ક શહેર થી લોસ એન્જલસ સુધી બે દીવાલો બનાવવામાં આવે તો પણ તેની લંબાઈ ઈરાનની સરહદો કરતાં ઓછી રહેશે. આ મુદ્દે બંને દેશો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો વધુ તેજ બન્યો છે, જે ભવિષ્યમાં વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ પર પણ અસર કરી શકે છે.

 

 

  • Related Posts

    NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

    નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…

    ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ

    દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા…