આત્મનિર્ભરતા તરફ આગેકૂચ: ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ

આત્મનિર્ભરતા તરફ આગેકૂચ: ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ
**
VGRC સુરત 2026: ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન માટે નવા દ્વાર ખુલશે
**
અમદાવાદ-મુંબઇ પ્રોજેક્ટ માટે ટ્રેનની ડિઝાઇન, ઉત્પાદન, ટેસ્ટિંગ, મેન્ટેનન્સ અને સંલગ્ન કામગીરી સ્વદેશી કંપની દ્વારા થાય તેવું આયોજન
**
ગાંધીનગર, 30 એપ્રિલ 2026: ગુજરાતના ઔદ્યોગિક અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપતા આગામી 1 અને 2 મે 2026ના રોજ સુરત સ્થિત ઑરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન અને આધુનિક ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં રાજ્યની પ્રગતિ અને રોકાણની તકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી માર્ગદર્શન હેઠળ અત્યારે ભારતમાં પ્રથમ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ અમદાવાદ અને મુંબઇ વચ્ચે સાકાર થવા જઇ રહ્યો છે. આપણા દેશને સક્ષમ બનાવીને આત્મનિર્ભર બનાવવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે હવે એવા પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે જેનાથી ભવિષ્યમાં હાઇ સ્પીડ ટ્રેન પણ મેઇડ ઇન ઇન્ડિયા હશે. આ દિશામાં આગળ વધતા અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા ભારતની રક્ષા મંત્રાલય હસ્તકની કંપની BEML લિમિટેડને ટ્રેનની ડિઝાઇન, ઉત્પાદન, ટેસ્ટિંગ, મેન્ટેનન્સ અને સંલગ્ન કામગીરી માટે સિંગલ ટેન્ડર (એક જ નિર્ધારિત કંપનીને ટેન્ડર) જારી કરવામાં આવ્યું છે.

28 ફેબ્રુઆરી 2026ના NHSRCL દ્વારા આ સિંગલ ટેન્ડર મેસર્સ BEML લિમિટેડને જારી કરવામાં આવ્યું છે જે ભારત સરકારના રક્ષા મંત્રાલય અંતર્ગત અનુસૂચિ ‘એ’માં સૂચિબદ્ધ કંપની છે. આ કંપની સંરક્ષણ, રેલવે, ઊર્જા, ખનન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં મશીનરી ઉત્પાદન અને મહત્વપૂર્ણ સેવાઓ પૂરી પાડે છે. આ ટેન્ડર અનુસાર કંપનીએ હાઇ સ્પીડ ટ્રેનની ડિઝાઇન બનાવવાથી શરૂ કરીને તેનું ઉત્પાદન, ટેસ્ટિંગ, તેનું કમિશનિંગ (ટ્રેનને કાર્યાન્વિત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરવી) અને લાંબા ગાળાના મેન્ટેનન્સની કામગીરી કરવાની રહેશે. ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણના ભવિષ્યલક્ષી વિઝન અનુસાર આ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

અમદાવાદ-મુંબઇ વચ્ચે 508 કિમી હાઇ સ્પીડ રેલ કોરિડોર

અમદાવાદ અને મુંબઇ વચ્ચે ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાકાર થઇ રહ્યો છે. તેના માટે 508 કિલોમીટરનો રેલ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે, જેમાંથી ગુજરાત અને દાદરા-નગર હવેલીમાં 352 કિલોમીટર અને મહારાષ્ટ્રમાં 156 કિલોમીટરનો રૂટ રહેશે. આ ટ્રેનના રૂટમાં 12 સ્ટેશન રહેશે, જેમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઇસર, વિરાર, થાણે અને મુંબઈનો સમાવેશ થાય છે.

દેશમાં 7 નવા હાઇ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત

નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2026-27માં રેલવે કનેક્ટિવિટીને નવો આકાર આપવા માટે 7 હાઇ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં મુંબઈથી પુણે, પૂણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગલુરુ, હૈદરાબાદ થી ચેન્નઈ, ચેન્નઈથી બેંગલુરુ, દિલ્હીથી વારાણસી અને વારાણસીથી સિલિગુડી કોરિડોર સામેલ છે. આ કોરિડોર નિર્માણથી ઉત્તર અને પૂર્વ ભારત તેમજ દક્ષિણ ભારત અને પશ્વિમ ભારતના વિસ્તારોમાં કનેક્ટિવિટીનો વ્યાપ વધશે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર આ નિર્ણય પર્યાવરણને અનુકૂળ ટકાઉ પેસેન્જર પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે જેનાથી શહેરો વચ્ચે જોડાણ વધશે અને તેમના વિકાસને ગતિ મળશે.

  • Related Posts

    KKK15 Shoot Shock : અનન્ય ફેમ ગૌરવ ખન્ના ‘ખતરો કે ખિલાડી 15’ ના શૂટિંગમાં ઘાયલ : KKK15 Latest News Shooting Update

    ખતરો કે ખિલાડી સીઝન 15ના શૂટિંગ દરમિયાન ગૌરવ ખન્નાને પેલેટ ગનથી ઈજા પહોંચી હોવાના અહેવાલો વાયરલ થયા છે. જાણો સમગ્ર મામલો, શોની ખાસિયતો અને સુરક્ષા વ્યવસ્થાની માહિતી. ખતરો કે ખિલાડી સીઝન 15માં ગૌરવ ખન્નાની ઈજાના અહેવાલોથી ચાહકોમાં ચિંતા, શૂટિંગ દરમિયાન થયો મોટો ટ્વિસ્ટ? ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય સ્ટંટ આધારિત રિયાલિટી શોમાંનું એક ખતરો કે ખિલાડી સીઝન 15 ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે ચર્ચાનું કારણ કોઈ સ્ટંટ નહીં, પરંતુ અભિનેતા ગૌરવ ખન્નાને શૂટિંગ દરમિયાન ઈજા પહોંચી હોવાના વાયરલ અહેવાલો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે એક સ્ટંટ દરમિયાન પેલેટ ગનના ઉપયોગથી ગૌરવ ખન્ના ઘાયલ થયા હતા, જેના કારણે તેમના ચાહકોમાં ચિંતા ફેલાઈ છે. જોકે, આવા અહેવાલો અંગે સત્તાવાર માહિતી સામે આવે તે…

    જમનાબાઈ હોસ્પિટલ 2026 Vadodara Hospital Campus Tragedy : વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની કારની અડફેટે બાળકનું કમકમાટીભર્યું મોત

    વડોદરાની જમનાબાઈ હોસ્પિટલ પરિસરમાં મહિલા તબીબે કાર રિવર્સ લેતા બાળક ગંભીર રીતે ઘાયલ થયું અને સારવાર દરમિયાન તેનું મોત થયું. સમગ્ર ઘટનાની વિગત અને પોલીસ તપાસ જાણો. જમનાબાઈ હોસ્પિટલમાં કરુણ અકસ્માત: મહિલા તબીબની કાર રિવર્સ લેતા બાળકનું મોત B india વડોદરા : વડોદરા શહેરની જાણીતી જમનાબાઈ જનરલ હોસ્પિટલ પરિસરમાં બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર શહેરને શોકમાં મૂકી દીધું છે. હોસ્પિટલ કેમ્પસમાં રમી રહેલા એક માસૂમ બાળકનું કારની અડફેટે આવતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, હોસ્પિટલમાં ફરજ બજાવતા એક મહિલા તબીબ પોતાની કાર રિવર્સ લઈ રહ્યા હતા ત્યારે પાછળ રમી રહેલા બાળક પર તેમનું ધ્યાન ન જતાં અકસ્માત સર્જાયો હતો. ગંભીર ઈજાઓના કારણે બાળકનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ…