ચૂંટણી નિરીક્ષકઅવંતિકા સિંઘ ઔલખે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી

અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ચૂંટણી નિરીક્ષકઅવંતિકા સિંઘ ઔલખ (IAS) દ્વારા આજે મતદાનના દિવસે શહેરના વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.

ચૂંટણી નિરીક્ષક એ સવારે એસ.પી. સ્ટેડિયમની વિદ્યાનગર હાઇસ્કૂલ, ઉસ્માનપુરાના વિવિધ બુથ, નારણપુરાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલના બુથ, નવરંગપુરાની એ.જી. ટીચર્સ હાઇસ્કૂલના બુથ તેમજ સી.એન. વિદ્યાલયના વિવિધ બુથની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે મતદાન મથકો પર મતદારો માટેની સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા નિહાળી હતી. ચૂંટણી નિરીક્ષકએ મતદાન મથકો પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી અને તંત્રની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.

  • Related Posts

    ગરમીમાં ઠંડક આપતી અને ઓછા ગેસમાં બનતી દહીંની સ્વાદિષ્ટ વાનગીઓ: આરોગ્ય અને ટેસ્ટનો પરફેક્ટ સમન્વય

    ગરમીના તાપમાં તળેલું અને મસાલેદાર ખાવાનું મન ઓછું થાય છે. આવા સમયમાં લોકો હલકું, ઠંડક આપતું અને પાચન માટે સારું ખાવાનું પસંદ કરે છે. બીજી તરફ દેશમાં LPG ગેસની સમસ્યા…

    હળદર બનશે ડાયાબિટીસ માટે ‘ગોલ્ડન ટિકિટ’, હૃદયને આપશે સુરક્ષા

    ભારતીય રસોડાનું ઘરેણું ગણાતી હળદર હવે માત્ર મસાલા તરીકે નહીં, પરંતુ આરોગ્યક્ષેત્રમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તાજેતરના એક સંશોધન મુજબ, હળદરમાં રહેલું મુખ્ય તત્વ ‘કરક્યુમિન’ ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ લાભદાયક સાબિત થઈ શકે છે. ખાસ કરીને હૃદય અને રક્તવાહિનીઓને થતા નુકસાન સામે રક્ષણ આપવામાં લાભદાયક સાબિત થઈ શકે છે.