અમેરિકા–ઈરાન વચ્ચે ફરી વાતચીતની શક્યતા, અબ્બાસ અરાઘચી ઈસ્લામાબાદ પહોંચશે

મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે હવે ફરી શાંતિ મંત્રણા તરફ પગલાં લેવામાં આવી રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી આજે ઈસ્લામાબાદ જવા રવાના થયા છે, જ્યાં યુનાઇટેડ સ્ટેટ્સ સાથે બીજી તબક્કાની વાતચીત યોજાવાની શક્યતા છે.

અરાઘચીએ સોશિયલ મીડિયા પર પોતાના પ્રવાસ અંગે માહિતી આપતા જણાવ્યું કે તેઓ ઈસ્લામાબાદ ઉપરાંત મસ્કત અને મોસ્કોની પણ મુલાકાત લેશે. આ પ્રવાસનો હેતુ સહયોગી દેશો સાથે સંકલન મજબૂત બનાવવાનો અને તાજેતરના સંઘર્ષ અંગે ચર્ચા કરવાનો છે. મીડિયા રિપોર્ટ મુજબ ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા યોજાઈ શકે છે. માહિતી મુજબ, ઈરાનનું પ્રતિનિધિમંડળ પહેલેથી જ ત્યાં પહોંચી ગયું છે, જ્યારે અમેરિકાની લોજિસ્ટિક્સ અને સુરક્ષા ટીમ પણ હાજર છે.

યાદ રહે કે તાજેતરમાં ઈરાન – યુનાઇટેડ સ્ટેટ્સ સાથે બીજી તબક્કાની વાતચીતમાં ભાગ લેવા ઈન્કાર કર્યો હતો. ફેબ્રુઆરીમાં શરૂ થયેલા સંઘર્ષ બાદ યુદ્ધવિરામ લાગુ થયું હતું, જેને અમેરિકાએ આગળ વધાર્યું હતું. આ વચ્ચે અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથએ જણાવ્યું કે ઈરાન પાસે શાંતિ માટે યોગ્ય નિર્ણય લેવાની સારી તક છે.

અહેવાલો અનુસાર પાકિસ્તાન પણ આ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીર સાથે થયેલી ચર્ચા બાદ આ મુલાકાત આગળ વધી હોવાનું કહેવાય છે.

X : https://x.com/bindia276

  • Related Posts

    Paytm Payments Bank પર RBIની મોટી કાર્યવાહી: લાયસન્સ રદ, હવે ગ્રાહકો પર શું અસર?

    ભારતમાં ફિનટેક સેક્ટર માટે મોટો ઝટકો સામે આવ્યો છે. Reserve Bank of India (RBI)એ 24 એપ્રિલ 2026ના રોજ Paytm Payments Bank Limited (PPBL)નું બેંકિંગ લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધું…

    હવામાનનો ડબલ એટેક: ઉત્તર ભારતમાં લૂ, પૂર્વ અને પહાડોમાં વરસાદ–આંધિનો એલર્ટ

    દેશભરમાં હવામાનના બે અલગ ચહેરા સામે આવી રહ્યા છે. India Meteorological Department (IMD)એ આગામી ચાર દિવસ માટે ચેતવણી જાહેર કરી છે, જેમાં ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી અને લૂનો પ્રકોપ રહેશે,…