ધીરેન્દ્ર શાસ્ત્રીના આમંત્રણ પર પ્રયાગરાજ પહોંચ્યા ‘રામાયણ’ના રામ-સીતા-લક્ષ્મણ,ઝલક જોવા ઉમટ્યો ભક્તોનો સાગર

પ્રયાગરાજમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ ત્યારે જોવા મળ્યો, જ્યારે હનુમંત કથાથી પહેલા ભવ્ય કલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રામાં 80ના દાયકાના લોકપ્રિય ટીવી ધારાવાહિક રામાયણના પ્રખ્યાત કલાકારો અરુણ ગોવિલ,દીપિકા ચિખલિયા અને સુનીલ લહરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

આ ભવ્ય શોભાયાત્રા Dhirendra Krishna Shastri ના આમંત્રણ પર યોજાઈ હતી. ઢોલ-નગારા અને ભક્તિના જયઘોષ વચ્ચે યાત્રા નીકળી, જેમાં લોકો દ્વારા ફૂલોની વર્ષા કરીને કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર વાતાવરણ “જય શ્રી રામ” ના નાદથી ગૂંજી ઉઠ્યું.
આ કાર્યક્રમ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો.

રામાયણમાં ‘રામ-સીતા-લક્ષ્મણ’ તરીકે લોકોના દિલોમાં વસેલા આ કલાકારોને એકસાથે જોઈને અનેક ભક્તો ભાવુક બની ગયા. ઘણા લોકોએ આ ક્ષણને જીવનની યાદગાર ક્ષણ ગણાવી. કાર્યક્રમ દરમિયાન સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા હતા, છતાં ભક્તોમાં ઉત્સાહ એટલો હતો કે દરેક વ્યક્તિ તેમના પ્રિય પાત્રોના દર્શન કરવા આતુર દેખાયો.

Dhirendra Krishna Shastriએ પોતાના પ્રવચનમાં ભક્તિ, સંસ્કૃતિ અને સનાતન ધર્મના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે આવા આયોજનોથી સમાજમાં એકતા વધે છે અને આપણી સંસ્કૃતિ જીવંત રહે છે. પ્રયાગરાજમાં યોજાયેલ આ ભવ્ય કલશ યાત્રા એ ફરી એકવાર સાબિત કર્યું કે ભારતની આસ્થા અને સંસ્કૃતિની જડોએ કેટલી ઊંડી છે અને સમય સાથે તે વધુ મજબૂત બની રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન હેઠળ ઠેર-ઠેર જનકલ્યાણ શિબિરોનું ભવ્ય આયોજન

    ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન હેઠળ ઠેર-ઠેર જનકલ્યાણ શિબિરોનું સફળ આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના…

    ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ

    દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા…