PM મોદીનો રાજસ્થાન પ્રવાસ રદ, પચપદરા રિફાઈનરીમાં આગને કારણે લોકાર્પણ સ્થગિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મંગળવારે યોજાનારો રાજસ્થાન પ્રવાસ અચાનક રદ કરવામાં આવ્યો છે. બાલોતરા જિલ્લામાં આવેલી પચપદરા રિફાઈનરીમાં લાગેલી ભયંકર આગને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે.

મળતી માહિતી મુજબ, વડાપ્રધાન દ્વારા આ રિફાઈનરીનું લોકાર્પણ થવાનું હતું, પરંતુ બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર કાર્યક્રમને સ્થગિત કરવો પડ્યો. આગ એટલી ભયંકર હતી કે સમગ્ર વિસ્તારમાં ઘાટો ધુમાડો છવાઈ ગયો હતો.

ફાયર બ્રિગેડની 24થી વધુ ગાડીઓ આગ બુઝાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ત્રણ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. હાલ પાણી અને ફોમનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલુ છે. સ્થળ પર સુરક્ષા એજન્સીઓ અને તંત્ર તૈનાત છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, આગના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં આવ્યા બાદ જ આગામી કાર્યક્રમ અંગે નિર્ણય લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પચપદરા રિફાઈનરી દેશના ઊર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવે છે. અંદાજે ₹79,450 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ રિફાઈનરી ભારતની પ્રથમ એકીકૃત રિફાઈનરી-સહ-પેટ્રોકેમિકલ યોજના તરીકે વિકસાવવામાં આવી છે અને ભવિષ્યમાં ઊર્જા ક્ષેત્રમાં માઈલસ્ટોન સાબિત થવાની અપેક્ષા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ત્રણ મહિના માટે 18,262 સમર સ્પેશિયલ ટ્રેનો દોડશે, વેટિંગ લિસ્ટથી મળશે રાહત

ઉનાળાની ઋતુમાં વધતી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ દેશભરમાં મોટી જાહેરાત કરી છે. આગામી ત્રણ મહિના દરમિયાન કુલ 18,262 સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે, જેનાથી મુસાફરોને લાંબી વેટિંગ લિસ્ટમાંથી…

ઈરાનને મનાવવા માટે પાકિસ્તાનના પ્રયાસ યથાવત્, ઇસ્લામાબાદમાં તણાવભર્યો માહોલ

ઇસ્લામાબાદ/તેહરાન: ઈરાન અને અમેરિકા વચ્ચે વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાન દ્વારા મધ્યસ્થતાના પ્રયાસો સતત ચાલુ છે. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે તાજેતરમાં વ્યક્તિગત રીતે તેહરાનની 48 કલાકની મુલાકાત લીધી હતી,…