AI “ન્યૂડિફાઈ” એપ્સનો ખતરો વધ્યો: પોલિસી હોવા છતાં Apple અને Google પર સરળતાથી ઉપલબ્ધ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો દુરુપયોગ એક નવા અને ગંભીર ખતરા રૂપે સામે આવ્યો છે. તાજેતરના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે “ન્યૂડિફાઈ” તરીકે ઓળખાતી AI એપ્સ, જે ફોટોને નકલી રીતે અશ્લીલ (ન્યૂડ) બનાવે છે, હજુ પણ Apple App Store અને Google Play Store પર સરળતાથી ઉપલબ્ધ છે.

Tech Transparency Project (TTP) દ્વારા કરવામાં આવેલી તપાસ મુજબ, આ એપ્સ કરોડો વખત ડાઉનલોડ થઈ ચૂકી છે અને તેમના ડેવલપર્સે આશરે 122 મિલિયન ડોલરથી વધુની આવક ઊભી કરી છે. આમાંનો એક હિસ્સો Apple અને Googleને પણ મળ્યો હોવાનું કહેવામાં આવે છે. રિપોર્ટ મુજબ Apple App Store પર 46 અને Google Play Store પર 49 આવી એપ્સ જોવા મળી આવી છે. ચોંકાવનારી વાત એ છે કે ઘણી એપ્સને “Everyone” અથવા “13+” જેવી રેટિંગ આપવામાં આવી છે, જેના કારણે ટીનેજર્સ માટે પણ આ એપ્સ સરળતાથી ઉપલબ્ધ બની જાય છે.

તપાસ બાદ Appleએ 15 એપ્સને દૂર કરી છે, જ્યારે Googleએ 7 એપ્સને સસ્પેન્ડ કરી છે. તેમ છતાં, અનેક એપ્સ ફરીથી નવા નામ અથવા બદલાયેલા વર્ણન સાથે પ્લેટફોર્મ પર પાછી આવી જાય છે, જે રિવ્યૂ સિસ્ટમ પર પ્રશ્નો ઉભા કરે છે. આ મુદ્દે ટેક જગતમાં પણ ચર્ચા ચાલી રહી છે. Elon Muskએ પણ આ વિષય પર પ્રતિક્રિયા આપી હતી. તેમની AI એપ Grok પર પણ અગાઉ સેક્સ્યુઅલ કન્ટેન્ટ જનરેશનને લઈને ટીકા થઈ ચૂકી છે.

નિષ્ણાતો મુજબ, આ પ્રકારની AI એપ્સ મહિલાઓ અને નાની ઉંમરના બાળકો માટે ગંભીર ખતરો બની રહી છે. જાણીતી હસ્તીઓ સહિત સામાન્ય લોકોના ફોટાનો દુરુપયોગ કરીને ડીપફેક કન્ટેન્ટ બનાવવામાં આવી રહ્યું છે. વૈશ્વિક સંસ્થાઓના અહેવાલ મુજબ લાખો બાળકો આ પ્રકારના ડીપફેકનો શિકાર બન્યા છે.

આ સમગ્ર મુદ્દો ડિજિટલ સલામતી, ગોપનીયતા અને AI નિયમન માટે મોટો પડકાર ઉભો કરે છે. નિષ્ણાતો માને છે કે ટેક કંપનીઓએ વધુ કડક પગલાં લેવા અને આવી એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવાની જરૂર છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    Ambaji ભાદરવી પૂનમ મેળો 2026: પદયાત્રીઓની સુવિધા માટે તંત્ર સજ્જ; ભોજનશાળા, વિશ્રામ ગૃહો અને પાર્કિંગ ઝોન કાર્યરત…

    B India બનાસકાંઠા : ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ Ambajiમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મહામેળો ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે યોજાવા જઈ રહ્યો છે. 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનારા આ મહામેળામાં ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ Ambaji પહોંચે તેવી શક્યતા છે. મોટી સંખ્યામાં પગપાળા સંઘો અને યાત્રાળુઓ આવવાના હોવાથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 38 પાર્કિંગ વિસ્તારોમાં વાહનોની વ્યવસ્થા Ambaji ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજીમાં સૌથી મોટો પડકાર ટ્રાફિક અને પાર્કિંગનો રહે છે. મોટી સંખ્યામાં કાર, બસ, ખાનગી વાહનો અને યાત્રાળુઓના વાહનો Ambaji તરફ આવતા હોવાથી મુખ્ય યાત્રાધામ વિસ્તારમાં વાહનોની ભીડ ન વધે તે માટે અલગ-અલગ…

    IIT-Bombay વિદ્યાર્થી આત્મહત્યા મામલો: ડાયરેક્ટરના રાજીનામા અને માનસિક સ્વાસ્થ્ય સુરક્ષાની માંગ સાથે ઉગ્ર વિરોધ

    મુંબઈ : IIT-બોમ્બેમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુ બાદ કેમ્પસમાં ભારે વિરોધ શરૂ થયો છે. 18 સપ્ટેમ્બર 2026ના રોજ બનેલી આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓએ સંસ્થાના વહીવટીતંત્રની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ઘટનાની સ્વતંત્ર અને પારદર્શક તપાસ, સંસ્થાના ડાયરેક્ટરના રાજીનામા, વિદ્યાર્થીઓને નીતિ-નિર્ણય પ્રક્રિયામાં વધુ પ્રતિનિધિત્વ અને કેમ્પસમાં માનસિક સ્વાસ્થ્યની સુવિધાઓ મજબૂત કરવાની માંગ કરી છે. પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો મામલો IIT-Bombayના સત્તાવાર નિવેદન અનુસાર, વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયો હતો. સંસ્થાએ જણાવ્યું કે તેણે પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કરીને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાની બાબત પણ સામે આવી હતી. IIT-Bombayના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ વિદ્યાર્થી વિરુદ્ધ કોઈ ઔપચારિક શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી નહોતી.…