સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવનારા અને ચૂંટણી પ્રક્રિયામાં ખલે રૂપ કન્ટેન્ટ સામે તુરંત કડક કાર્યવાહીનાં આદેશ

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના પોલીસ વડાએ જિલ્લાના અન્ય પોલીસ ઉચ્ચ અધિકારી ઓ સાથે આજે આણંદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સુરક્ષા તૈયારીઓ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી કડક સુચના આપી હતી.

જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં ડો. રાવે સ્થાનિક પોલીસ, સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ (CAPF) અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) ના જવાનોના તૈનાતી પ્લાન પર ચર્ચા કરી હતી. બેઠકમાં લાયસન્સવાળા હથિયારો જમા કરાવવાની કામગીરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલા અટકાયતી પગલાંઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. DGPએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ યોજવા માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા ગુજરાત પોલીસ સંકલ્પબધ્ધ છે.

ચૂંટણી આચારસંહિતાના કડક અમલ માટે રાજ્ય પોલીસ વડાએ જિલ્લા પોલીસ તંત્રને તમામ ચેકપોસ્ટ પર સઘન તપાસ કરવા અને ઉમરેઠ મતવિસ્તારમાં મતદારોમાં વિશ્વાસ જાગે તે માટે ‘એરિયા ડોમિનેશન’ કવાયત હાથ ધરવા સૂચના આપી હતી. કામગીરીની પારદર્શિતા માટે સુરક્ષા વ્યવસ્થામાં ડ્રોન દ્વારા આકાશમાંથી દેખરેખ રાખવા અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ માટે બોડી-વોર્ન કેમેરાનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.

ઈવીએમ રાખવાના સ્ટ્રોંગ રૂમ માટે બહુસ્તરીય સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેનું નિયમિત નિરીક્ષણ કરવા તાકીદ કરી હતી. કોઈપણ અઘટિત ઘટનાના કિસ્સામાં ત્વરિત પ્રતિસાદ મળી રહે તે માટે જિલ્લા કંટ્રોલ રૂમને તમામ મતદાન મથકો સાથે સતત સંપર્કમાં રહેવા અને સંચાર વ્યવસ્થાનું ટેસ્ટિંગ કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવનારા તત્વો સામે સાયબર સેલને સતત સક્રિય રહેવા અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડતા કન્ટેન્ટ સામે તુરંત કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જે મતદાન મથકોને ‘ક્રિટિકલ’ (સંવેદનશીલ) જાહેર કરવામાં આવ્યા છે, ત્યાં પોલીસ અધિકારીઓને રૂબરૂ મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પણ સૂચના અપાઈ હતી. રાજ્ય પોલીસ વડાએ ઉમરેઠના નાગરિકોને કોઈપણ ડર વગર, શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

  • Related Posts

    2026 પંજાબ ભાજપ અકાલી દળ ગઠબંધન : ભાજપ અને અકાલી દળનું ગઠબંધન ફરી થશે? પીએમ મોદી અને સુખબીર બાદલની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ

    પીએમ નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભાજપ-અકાલી દળના ગઠબંધનને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. જાણો સમગ્ર ઘટનાક્રમ અને તેની રાજકીય અસર. ભાજપ અને અકાલી દળનું ગઠબંધન ફરી શરૂ થશે? પીએમ મોદી-સુખબીર બાદલની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ પંજાબના રાજકારણમાં ફરી એકવાર મોટા ફેરફારની અટકળો તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળ (SAD)ના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભાજપ અને અકાલી દળ વચ્ચે ફરીથી ગઠબંધન થઈ શકે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે. બંને પક્ષ તરફથી આ મુલાકાત અંગે કોઈ સત્તાવાર રાજકીય જાહેરાત કરવામાં આવી નથી, તેમ છતાં આ બેઠકને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. એક સમય…

    6 લાખનું પાટણનું પટોળું કેવી રીતે બને? 5 કારીગરોની 6 મહિનાની મહેનતથી તૈયાર થાય છે વિશ્વપ્રસિદ્ધ હસ્તકળા 2026 Exquisite Art.

    ₹6 લાખનું પાટણનું પટોળું કેવી રીતે બને? 5 કારીગરોની 6 મહિનાની મહેનત પછી તૈયાર થાય છે વિશ્વપ્રસિદ્ધ હસ્તકળાનો અજોડ નમૂનો પટોળું  ગુજરાતના વિશ્વવિખ્યાત પાટણના પટોળાની બનાવટ, કિંમત, કારીગરોની મહેનત અને તેની વૈશ્વિક ઓળખ વિશે જાણો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પણ પટોળું ભેટમાં આપ્યું હતું. ગુજરાતની ધરતી પર જન્મેલી અનેક પરંપરાગત કલાઓમાં પાટણનું પટોળું (Patan Patola) વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. તેની અદભૂત ડિઝાઇન, સૂક્ષ્મ કારીગરી અને અનોખી વણાટ પદ્ધતિને કારણે પટોળું માત્ર એક સાડી નથી, પરંતુ ભારતીય હસ્તકળાનું જીવંત પ્રતીક છે. આજે પણ એક અસલી પટોળાની કિંમત લાખોમાં પહોંચી શકે છે. કેટલીક વિશેષ ડિઝાઇનવાળી પટોળા સાડીની કિંમત ₹6 લાખ કે તેથી વધુ પણ હોઈ શકે છે. પાટણના પટોળાની વૈશ્વિક લોકપ્રિયતાનો અંદાજ એ…