દેશમાં LPG સંકટ વચ્ચે મોદી સરકારની કેબિનેટમાં 6 મોટા નિર્ણયો, જાણો વિગત

દેશમાં LPG સંકટની વચ્ચે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મંત્રીમંડળે કુલ છ મહત્વપૂર્ણ પ્રસ્તાવો પર મંજૂરી આપી છે. જેમાં જલ જીવન મિશનને ડિસેમ્બર 2028 સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠક બાદ માહિતી આપતા જણાવ્યું કે કેબિનેટે જલ જીવન મિશન 2.0ને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ દેશના દરેક ઘરમાં શુદ્ધ પીવાના પાણીની સુવિધા પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે. મિશન માટે અંદાજે 8.70 લાખ કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત કેબિનેટે તમિલનાડુના મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવા માટે પણ મંજૂરી આપી છે. આ નિર્ણયથી દક્ષિણ ભારતના આ મહત્વપૂર્ણ શહેરમાં પર્યટન, વેપાર અને વૈશ્વિક જોડાણમાં વધારો થવાની સંભાવના છે.

કેબિનેટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જેમાં જેવર એરપોર્ટને ફરીદાબાદ સાથે જોડતા એલિવેટેડ રોડ માટે ખર્ચમાં સુધારો કરી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટથી દિલ્હી-એનસીઆર વિસ્તારમાં મુસાફરી વધુ સરળ બનશે.

તે ઉપરાંત રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે બે નવા પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં પશ્ચિમ બંગાળમાં સૈંથિયા અને પાકુર વચ્ચે ચોથી રેલ્વે લાઇન અને સંતરાગાછીથી ખડગપુર વચ્ચે ચોથી રેલ્વે લાઇનના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.

મધ્યપ્રદેશમાં એક મહત્વપૂર્ણ હાઇવે પ્રોજેક્ટને પણ મંત્રીમંડળે મંજૂરી આપી છે, જેનાથી રાજ્યમાં કનેક્ટિવિટી અને વેપાર વધશે.

મદુરાઈ એરપોર્ટ બનશે આંતરરાષ્ટ્રીય હબ
મદુરાઈ એરપોર્ટ રાજ્યના સૌથી જૂના એરપોર્ટમાંનું એક માનવામાં આવે છે. દક્ષિણ તમિલનાડુ માટે આ એરપોર્ટ મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે અને પર્યટન તેમજ યાત્રાધામ માટે મોટી ભૂમિકા ભજવે છે. તેને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી પ્રાદેશિક કનેક્ટિવિટી વધશે અને આર્થિક વિકાસને પણ વેગ મળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

અમેરિકાએ ઈરાન સાથે યુદ્ધવિરામ માટે વાટાઘાટનો સંકેત આપ્યો, ટ્રમ્પે વ્યક્ત કરી પોતાની તૈયારી

મધ્યપૂર્વમાં ઇરાનના બોમ્બમારાથી ઉત્તેજિત થયેલા વિસ્તારોમાં યુદ્ધના 10મા દિવસે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સમાધાન માટે પોતાની તૈયારી વ્યક્ત કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન સાથે વાટાઘાટો શક્ય છે, પરંતુ તે…

આજનો દિવસ ઈરાન માટે ભયાનક: અમેરિકન સંરક્ષણ મંત્રીએ ધમકી આપી, ઈઝરાયલ પણ તૈયાર

અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટર હેગસેથે અમેરિકાનો ઈઝરાયલ સાથેનો યુદ્ધ દરમિયાન મોટું નિવેદન આપ્યું છે. હેગસેથે કહ્યું કે આજે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો ભીષણ હુમલો થશે. તેમણે જણાવ્યું કે,…