ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રો રેલના વિસ્તરણ મામલે PM મોદીની કેબીનેટમાં લેવાયો મોટો નિર્ણય; જાણો વિગત

PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હી નવી દિલ્હીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગિફ્ટ સિટીની કનેક્ટિવીટી વધુ સુગમ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)ના ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના હાલના નોર્થ-સાઉથ કોરિડોરના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી સ્થપાયેલા અને વિશ્વભરમાં ફિનટેક હબ તરીકે ખ્યાતિ મેળવી રહેલા ગિફ્ટ સિટીમાં મલ્ટિનેશનલ ફિનટેક કંપનીઓ સહિત ગિફ્ટ સિટીમાં કાર્યરત એકમો, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાપારી કેન્દ્રો તથા અમદાવાદ અને ગિફ્ટ સિટી વચ્ચે દૈનિક મુસાફરી કરતા નાગરિકોને આ કનેક્ટિવિટીનો લાભ આપવા માટે વડાપ્રધાન અને કેન્દ્રીય કેબિનેટનો આભાર માન્યો છે.

વર્તમાન સ્થિતિએ ગુજરાત મેટ્રોના 68.28-કિમી અમદાવાદ મેટ્રો ફેઝ-I {APMC થી મોટેરા સ્ટેડિયમ (નોર્થ-સાઉથ કોરિડોર) અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર)} અને ફેઝ-II (મોટેરા સ્ટેડિયમ થી મહાત્મા મંદિર અને GNLU થી ગિફ્ટ સિટી), કુલ 53 સ્ટેશનો સાથે સપ્ટેમ્બર-2022 (ફેઝ-I) અને જાન્યુઆરી-2026 (ફેઝ-II) થી સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યા છે તેનો લાભ દરરોજ અંદાજે 1.60 લાખ લોકોને સરળ અવર-જવર માટે મળે છે.

પ્રોજેક્ટ લગભગ ચાર વર્ષમાં પૂર્ણ થશે
હવે, કેન્દ્રીય કેબિનેટે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના 3.33 કિલોમીટર લાંબા વિસ્તરણને જે મંજૂરી આપી છે તેમાં ત્રણ એલિવેટેડ સ્ટેશનોનો સમાવેશ થશે અને અંદાજે 1067.35 કરોડનો આ પ્રોજેક્ટ લગભગ ચાર વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ચાબહાર પોર્ટ પર હુમલાના અહેવાલો: ભારતના વ્યૂહાત્મક પ્રોજેક્ટને લઈને વધી ચિંતા

ઈરાનના દક્ષિણ-પૂર્વમાં આવેલા વ્યૂહાત્મક મહત્વના ચાબહાર પોર્ટ પર હુમલાના અહેવાલો સામે આવ્યા છે. અહેવાલો મુજબ હુમલામાં મેરિટાઇમ ટ્રાફિક કંટ્રોલ ટાવરને નુકસાન થયું છે. જોકે, ભારત દ્વારા સંચાલિત શાહિદ બેહેશ્તી ટર્મિનલને…

અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા માટે અભેદ્ય સુરક્ષા: 30 હજાર પોલીસ, 3,700 CCTV, 100થી વધુ ડ્રોન રહેશે તૈનાત

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર 16 કિલોમીટર લાંબા રથયાત્રા રૂટ પર અંદાજે 30 હજાર પોલીસ જવાનો, અદ્યતન ટેક્નોલોજી અને પેરામિલિટરી દળોની…