ગંગા સ્વરૂપા આર્થિક સહાય’યોજનાના લાભાર્થીઓને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઘરબેઠાં સહાય મળશે

રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા હેતુ અમલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ હવે સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ના ખાતામાં જમા કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી લાભાર્થીઓને આધાર આધારિત ડી.બી.ટી (DBT) દ્વારા નાણાં સીધા ખાતામાં જમા થશે. પોસ્ટમેન દ્વારા ઘરબેઠાં જ આ રોકડ ઉપાડવાની સુવિધા પણ પ્રાપ્ત થશે. આ સુવિધાથી ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક વ્યવહારોમાં વધુ સરળતા અને સુરક્ષા પ્રાપ્ત થશે.

પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વધુ વિગતો આપતા કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં આશરે 1.47 લાખથી વધુ લાભાર્થીઓ હાલ પોસ્ટ ઓફિસના ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે. આ તમામ લાભાર્થીઓને આધુનિક બેંકિંગ સુવિધા સાથે જોડવા માટે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં તા. 14 થી 20 ફેબ્રુઆરી,2026 સુધી વિશેષ અભિયાન ચલાવીને નવા IPPB ખાતાઓ ખોલવામાં આવશે.

યાદવે વધુમાં જણાવ્યું કે, આ IPPB ખાતું શૂન્ય બેલેન્સથી ખોલી શકાશે. પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક વિનંતી પર ઘરે આવીને ખાતું પણ ખોલી આપશે અને નાણાં પણ ચૂકવશે. લાભાર્થીઓએ પૈસા ઉપાડવા માટે બેંક કે પોસ્ટ ઓફિસ જવાની જરૂર રહેશે નહી. જે લાભાર્થીઓ પાસે પહેલેથી IPPB ખાતું છે, તેમણે માત્ર આધાર સીડિંગ કરાવવાનું રહેશે. IPPB ખાતું પહેલેથી જ ઉપલબ્ધ પોસ્ટ ઓફીસ બચત ખાતા સાથે લીંક કરી શકાશે, જેથી પોસ્ટ ઓફીસ બચત ખાતા અને IPPB બન્નેના લાભ એક સાથે મેળવી શકાય. આ ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર અને જૂના બચત ખાતાની પાસબુક અનિવાર્ય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં અંદાજે 18,155 લાભાર્થીઓ પોસ્ટ ઓફીસ ખાતા મારફતે આ સેવાનો લાભ લઈ રહ્યા છે. જો કોઈ લાભાર્થીને ખાતું ખોલવામાં મુશ્કેલી જણાય, તો તેઓ નજીકની પોસ્ટ ઓફીસનો અથવા હેલ્પલાઇન નંબર 9218302143, 9978675753, 9218302132 પર સંપર્ક કરી શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

 

 

Related Posts

વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પ સાથે સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ: રાજ્યપાલ

પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજે ગૌરવસભર પ્રારંભ થયો. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિધાનસભાને સંબોધતા રાજ્યની વિકાસયાત્રા, સુશાસન અને સર્વસમાવેશી નીતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રાજ્યપાલએ જણાવ્યું…

15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના પ્રથમ દિવસે પૂર્વ સદસ્યોને શ્રદ્ધાંજલિ, સભાગૃહે બે મિનિટનું મૌન પાળ્યું

15મી ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રના પ્રથમ દિવસે તા. 16 ફેબ્રુઆરી, સોમવારે વિધાન ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક દર્શક ઉલ્લેખોમાં વિધાનસભાના દિવંગત પૂર્વ સદસ્યશ્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિધાનસભાના પૂર્વ…