થરૂરને વિદેશ મંત્રી બનવાની મહત્વાકાંક્ષા છે ? કોંગ્રેસના વરિષ્ઠ નેતા લગાવ્યો ગંભીર આરોપ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યર હવે પોતાના જ પક્ષના નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેમણે તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર, વરિષ્ઠ નેતાઓ પવન ખેરા અને જયરામ રમેશનું નામ લીધું છે અને દાવો કર્યો છે કે કોંગ્રેસ કેરળ વિધાનસભા ચૂંટણી જીતી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, ઐય્યરે તાજેતરમાં જ કહ્યું હતું કે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન કેરળના મુખ્યમંત્રી રહેશે. કોંગ્રેસે આ નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે.

એક મીડિયા સાથે વાત કરતાં મણિશંકર ઐયરે પક્ષના નેતા પવન ખેરાના નિવેદન પર ભારે નારાજગી વ્યક્ત કરી, તેમને કઠપૂતળી ગણાવ્યા. તેમણે કહ્યું, “પવન ખેરાએ બે વર્ષ પહેલાં કહ્યું હતું કે હું કોઈપણ રીતે કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતો નથી. તેથી આ કંઈ નવું નથી. તે કોંગ્રેસની કઠપૂતળી છે, પ્રવક્તા નથી. તે એક હતાશ IAS અધિકારી છે જે અહીં આવ્યો છે અને છેલ્લા બે વર્ષથી મારી સાથે દુર્વ્યવહાર કરી રહ્યાં છે.”

કોંગ્રેસની ચૂંટણી તૈયારીઓ અંગે તેમણે કહ્યું, “હું ઈચ્છું છું કે કોંગ્રેસ જીતે, પણ મને નથી લાગતું કે તે જીતશે. કારણ કે કોંગ્રેસના નેતાઓ વિભાજિત છે. તેઓ ડાબેરીઓ કરતાં એકબીજાને વધુ નફરત કરે છે.” ઐયરે થરૂરને લઈ મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે, થરૂરને આગામી વિદેશ મંત્રી બનવાની મહત્વાકાંક્ષા છે. તેમણે ઉમેર્યું હતું કે જયરામ રમેશે પોતાની નોકરી બચાવવાની જરૂર છે.

પિનરાઈ વિજયન મામલે શું કહ્યું ?
મણિશંકર ઐયરે રવિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સીપીઆઈ(એમ) નેતા પિનરાઈ વિજયન કેરળના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે. તેમણે મહાત્મા ગાંધીના ભારત માટેના વિઝનને યાદ કર્યું. તેમણે કહ્યું કે રાષ્ટ્રપિતાએ એક એવા દેશની કલ્પના કરી હતી જ્યાં ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ પોતાનાપણાની ભાવના અનુભવે અને રાષ્ટ્રનિર્માણમાં અસરકારક ભૂમિકા ભજવી શકે. તેમણે કહ્યું કે તે વિડંબનાત્મક લાગે છે કે આ લક્ષ્ય તરફ સૌથી પ્રશંસનીય પ્રગતિ કરતું રાજ્ય કેરળ છે, જ્યાં “માર્ક્સવાદી-લેનિનવાદી પાર્ટી ઓફ ઈન્ડિયા” શાસિત છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

પૂર્વ વિસ્તારમાં પોલીસનો સપાટો: Vatva મહિલા બુટલેગરોને દારૂ પહોંચાડવા આવેલી દાહોદની ત્રણ મહિલાઓ સહિત કન્ટેનર ઝડપાયું 1 Unyielding Security Measures

પૂર્વ વિસ્તારમાં એક જ દિવસમાં 5 સ્થળેથી દારૂ ઝડપાયો: Vatvaની મહિલા બુટલેગરોને દારૂની ડિલિવરી આપવા આવેલી દાહોદની ત્રણ મહિલા ઝડપાઈ, SP રિંગ રોડ પરથી કન્ટેનર ઝડપાયું Vatva અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે પોલીસે એક જ દિવસમાં અલગ-અલગ પાંચ સ્થળે કાર્યવાહી કરી હોવાની માહિતી સામે આવી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહીમાં ખાસ કરીને Vatva વિસ્તારમાં મહિલા બુટલેગરોને દારૂની ડિલિવરી આપવા આવેલી દાહોદની ત્રણ મહિલાઓ ઝડપાઈ હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત SP રિંગ રોડ પરથી એક કન્ટેનર પણ ઝડપાયું હોવાનું જાણવા મળ્યું છે. એક જ દિવસમાં પાંચ અલગ-અલગ સ્થળે દારૂ ઝડપાતા પોલીસની કામગીરી ચર્ચામાં આવી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ…

Gujarat Weather Alert 2026: ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલાં નવો રાઉન્ડ.. Relentless Monsoon Fury..

Gujaratમાં વરસાદનું એલર્ટ: અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા, કેટલાક ભાગોમાં તેજ પવન અને ગાજવીજની આગાહી અમદાવાદ સહિત અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ; IMDના સ્થાનિક અનુમાન મુજબ આજે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ Gujaratમાં ચોમાસાની સિઝન અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના ઉપલબ્ધ સ્થાનિક અનુમાન મુજબ 16 સપ્ટેમ્બરે Gujaratના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અગાઉના દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. IMDના સ્થાનિક રિપોર્ટ મુજબ 15 સપ્ટેમ્બરના અગાઉના 24 કલાકમાં અમદાવાદમાં 50 મિમી વરસાદ નોંધાયો હતો. 16 સપ્ટેમ્બરે શહેરમાં સામાન્ય રીતે…