વડોદરા BCA ચૂંટણીમાં કાયદાકીય પેચ: કિરણ મોરે સહિતના દિગ્ગજો મુશ્કેલીમાં, હાઈકોર્ટે આપ્યો આદેશ

બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ની આગામી ચૂંટણીઓના વિવાદે હવે કાયદાકીય વળાંક લીધો છે. વડોદરાના એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા ન્યાયાધીશે આ મામલે મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે 15 ફેબ્રુઆરીના રોજ યોજાનારી પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી સહિતના હોદ્દાઓની ચૂંટણી નિર્ધારિત સમય મુજબ જ યોજાશે, પરંતુ હાઈકોર્ટની આગોતરી મંજૂરી વિના આ ચૂંટણીના પરિણામો જાહેર કરી શકાશે નહીં. અરજદારે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલા લોઢા સમિતિના માપદંડોને ટાંકીને પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જિકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવાની માંગ કરી છે.

આ કેસમાં BCCI અને BCA ને પક્ષકાર બનાવવામાં આવ્યા છે, કારણ કે અરજદારનો આક્ષેપ છે કે ચૂંટણી અધિકારીએ ઉમેદવારોની યોગ્યતા અંગેના વાંધા રજૂ કરવા છતાં કોઈ નક્કર નિર્ણય લીધો નથી. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું કે ક્રિકેટ એસોસિએશનો સંપૂર્ણપણે ખાનગી સંસ્થાઓ નથી અને જો ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ જણાય તો કોર્ટ મૌક પ્રેક્ષક બની રહી શકે નહીં. ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ વહીવટમાં પારદર્શિતા લાવવા માટે સુપ્રીમ કોર્ટે ‘કૂલિંગ ઓફ પિરિયડ’ અને વય મર્યાદા જેવા કડક નિયમો લાગુ કર્યા છે, જેનો ભંગ થયો હોવાનો દાવો આ પિટિશનમાં કરવામાં આવ્યો છે. હાલમાં કોર્ટે ચૂંટણી પ્રક્રિયા અટકાવી નથી, પરંતુ પરિણામ પર સ્ટે મૂકીને તમામ પક્ષકારોને ભીંસમાં લીધા છે. આ વિવાદિત મામલાની આગામી સુનાવણી 17 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે, જેમાં ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

પાકિસ્તાન ‘સ્માર્ટ લોકડાઉન’ની તૈયારી: ભારતના પાડોશી દેશમાં ઉર્જા સંકટ, સરકારઅંતિમ નિર્ણય લે તેવી તૈયારી

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પાકિસ્તાનમાં ઉર્જા અને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો ભારે અસરગ્રસ્ત થયો છે. હાલ પેકિસ્તાન સરકાર ‘સ્માર્ટ લોકડાઉન’ લગાવવાની તૈયારી કરી રહી છે, પરંતુ…

આંધ્રપ્રદેશમાં માલગાડી પલટી: મનુબોલુ–કૉમ્મારાપુડી વચ્ચે રેલવે ટ્રાફિક ખોરવાયો

આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં મનુબોલુ અને કૉમ્મારાપુડી રેલવે સ્ટેશન વચ્ચે આજે એક માલગાડી પલટી જવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાના કારણે વિજયવાડા, ચેન્નાઇ અને તિરુપતિ તરફ જતી અનેક ટ્રેન સેવાઓ…