રણવીર સિંહને મળી ધમકી: વોઈસ નોટમાં કરોડો રૂપિયાની માંગી ખંડણી, ઘરની સુરક્ષા વધારાઈ

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહને તાજેતરમાં ધમકીભર્યો સંદેશ મળ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વોટ્સએપ વોઇસ નોટ દ્વારા કોઈ અજાણ્યા શખ્સે રણવીરને કરોડો રૂપિયાની માંગણી કરી છે. આની જાણ મુંબઈ પોલીસને તરત કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસએ અભિનેતાના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે અને સાવચેતીના પગલાં લીધાં છે. ધમકી આપનાર વ્યક્તિએ એમ પણ જણાવ્યું છે કે તે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે.

તાજેતરમાં ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના મુંબઈમાં ઘરની બહાર ગોળીબારની ઘટના બની હતી, જેના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો. હુમલામાં રોહિત શેટ્ટીને કોઈ ઈજા પહોંચી નહોતી, પરંતુ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ રાખ્યો છે અને વિસ્તારની સુરક્ષા વધારી છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા કેટલાક લોકો, જેમ કે શુભમ લોંનકર, આરજૂ બિશ્નોઈ અને હરિ બોક્સર, દ્વારા હુમલાની જવાબદારી સ્વીકારી હોવાનું જણાવાયું છે. પોસ્ટમાં જણાવ્યું હતું કે રોહિત શેટ્ટીને અગાઉ પણ ચેતવણી આપવામાં આવી હતી.

હાલ, રણવીર સિંહ અને તેમના પરિવાર માટે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ: ભવનાથમાં ભક્તોની ભીડ, 10થી 12 લાખ લોકો માટે વિશાળ આયોજન

જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રી મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. મેળાની પૂર્વ સંધ્યાએ જ હજારો શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર સુધી શિવભક્તોની…

10 લાખ કે તેથી વધુ રોકડ જમા/ઉપાડ માટે PAN ફરજિયાત: નવા ડ્રાફટ નિયમો 1 એપ્રિલથી લાગુ થશે

આવકવેરાના નવા ડ્રાફટ નિયમો હેઠળ હવે એક નાણાકીય વર્ષમાં વ્યક્તિના એક અથવા વધુ ખાતાઓમાં રૂ. 10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવું અથવા ઉપાડવું હોય તો PAN (પાન કાર્ડ)…