T-20 વર્લ્ડ કપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માંગણીઓ સ્વીકારવાનો કર્યો ઇનકાર

ભારત-પાકિસ્તાન વચ્ચેની T-20 વર્લ્ડ કપ 2026ની મેચને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ICCના નિર્ણય મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપમાં મેચ રમાશે, જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ દ્વારા રજૂ કરાયેલી અનેક માંગણીઓને ફગાવી દેવામાં આવી છે.

બાંગ્લાદેશને કોઈ દંડ નહીં
ICCએ સ્પષ્ટ કર્યું છે કે આ સમગ્ર મામલે બાંગ્લાદેશને કોઈપણ પ્રકારનો દંડ કરવામાં આવશે નહીં. ભલે બાંગ્લાદેશ વર્તમાન વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હોય, તેમ છતાં તેને ICCની આવકમાંથી મળતો હિસ્સો યથાવત રાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિર્ણય ICCએ સ્વતંત્ર રીતે લીધો છે અને તેમાં કોઈપણ ક્રિકેટ બોર્ડનું દબાણ નથી.

પાકિસ્તાનને વધુ એક ફટકો
ભારત-પાકિસ્તાન મેચને લઈને પાકિસ્તાનને ICC તરફથી વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. બેઠક દરમિયાન પાકિસ્તાન અને બાંગ્લાદેશે ICC સમક્ષ કેટલીક શરતો અને માંગણીઓ રજૂ કરી હતી, પરંતુ ICCએ મોટાભાગની માંગણીઓને સ્પષ્ટપણે નકારી કાઢી છે.

બાંગ્લાદેશને વળતર રૂપે ટુર્નામેન્ટ મળવાની શક્યતા
ICCએ સ્વીકાર્યું છે કે ગયા વર્ષે બાંગ્લાદેશ મહિલાઓની T-20 વર્લ્ડ કપ યજમાનીથી વંચિત રહ્યું હતું. દેશમાં થયેલા રમખાણોને કારણે આ ટુર્નામેન્ટ બાંગ્લાદેશથી દુબઈ ખસેડવામાં આવ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ICC હવે આગામી ચક્રમાં બાંગ્લાદેશને કોઈ મોટી ICC ઇવેન્ટની યજમાની આપવાનો વિચાર કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અંડર-19 વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટ બાંગ્લાદેશને આપવામાં આવી શકે છે.

દ્વિપક્ષીય શ્રેણી અને ત્રિકોણીય સિરીઝની માંગ ફગાવી
બેઠક દરમિયાન બાંગ્લાદેશ અને પાકિસ્તાને એવી માંગણી પણ કરી હતી કે ICC ભારતને પાકિસ્તાન સામે દ્વિપક્ષીય ક્રિકેટ રમવા માટે કહે. જોકે ICCએ સ્પષ્ટપણે જણાવ્યું કે દ્વિપક્ષીય શ્રેણી તેના અધિકારક્ષેત્રમાં આવતી નથી. આ જ આધાર પર ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે ત્રિકોણીય શ્રેણી યોજવાનો પ્રસ્તાવ પણ નકારી કાઢવામાં આવ્યો.

ભારતના બાંગ્લાદેશ પ્રવાસ પર પણ સ્પષ્ટતા
આ વર્ષે ભારતના બાંગ્લાદેશ પ્રવાસ અંગે પણ ચર્ચા થઈ હતી. ICCએ સ્પષ્ટ કર્યું કે તે કોઈપણ દેશને બીજા દેશનો પ્રવાસ કરવા માટે દબાણ કરી શકતું નથી. આવા નિર્ણય સંબંધિત ક્રિકેટ બોર્ડ અને સરકારો પર આધારિત હોય છે.

પાકિસ્તાનને ICCનું અલ્ટીમેટમ
લાહોરમાં યોજાયેલી લાંબી બેઠક બાદ પણ પાકિસ્તાને 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચ અંગે તાત્કાલિક નિર્ણય લીધો ન હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસીન નકવીએ જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દે વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે ચર્ચા કરવા માંગે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…