ઠંડી ધીમે-ધીમે વિદાય લઈ રહી છે, પરંતુ તે વચ્ચે ગુજરાતના હવામાનમાં ફરી એકવાર બદલાવ જોવા મળી શકે છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 8 ફેબ્રુઆરીથી પશ્ચિમ વિક્ષેપોની અસર શરૂ થશે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન બદલાઈ શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.
10 ફેબ્રુઆરીથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ
હવામાન નિષ્ણાતના અનુમાન મુજબ 10 ફેબ્રુઆરીથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં 8થી 11 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. આ સ્થિતિ ખેતી પર અસર કરી શકે હોવાથી ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
તાપમાન રહેશે 20થી 28 ડિગ્રી વચ્ચે
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન આશરે 15 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે. જ્યારે દરિયાકિનારાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 20થી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
12 ફેબ્રુઆરી બાદ ધીમે-ધીમે વધશે તાપમાન
અંબાલાલ પટેલના કહેવા મુજબ 12 ફેબ્રુઆરી પછી તાપમાનમાં ધીમે-ધીમે વધારો થવાની શક્યતા છે. જોકે, ત્યાં સુધી હવામાનનો મિજાજ બદલાતો રહે તેવી શક્યતા હોવાથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સતર્ક રહેવાની જરૂર છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






