ચા-કોફીથી લઈને ફાર્મા આઇટમ્સ સુધી 0% ટેરિફ, ભારત-અમેરિકા અંતરિમ ટ્રેડ ડિલની મોટી જાહેરાત

ભારત અને અમેરિકા વચ્ચે અંતરિમ ટ્રેડ ડિલના ફ્રેમવર્ક જાહેર થયા બાદ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની વિગતો જાહેર કરી. તેમણે જણાવ્યું કે અમેરિકા દ્વારા ભારતની અનેક નિકાસ વસ્તુઓ પર 0 ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે, જ્યારે ભારતે અમેરિકાને કૃષિ અને ડેરી ઉત્પાદનો પર કોઈપણ પ્રકારની છૂટ આપેલી નથી.

પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું કે આ કરાર ભારતીય ખેડૂતો અને ડેરી ક્ષેત્રના હિતોને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખે છે. સાથે જ આ ફ્રેમવર્ક ભારત માટે વિશ્વના સૌથી મોટા બજારમાં વધુ તકો ખોલશે.

આ વસ્તુઓ પર લાગશે 0% ટેરિફ
અમેરિકા દ્વારા ભારતની જે વસ્તુઓ પર શૂન્ય ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે તેમાં જેમ્સ અને ડાયમંડ્સ, ફાર્મા અને ફાર્માસ્યુટિકલ્સ, સ્માર્ટફોન, મસાલા, ચા, કોફી, નારિયેળ, નારિયેળ તેલ, વનસ્પતિ તેલ, કાજુ, કેળા, કેરી, ખાંડ, પાઈનેપલ, મશરૂમ્સ, અનેક ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિમાનના પાર્ટ્સ, મશીનરીના પાર્ટ્સ, કોઇન્સ પ્લેટિનમ, એસેન્શિયલ ઓઇલ, એલ્યુમિનિયમ પાર્ટ્સ, ઝીંક ઓક્સાઇડ, મિનરલ્સ, કુદરતી ઉત્પાદનો, કુદરતી રબર અને અન્ય ઔદ્યોગિક ઉત્પાદનોને પણ 0 ટકા ટેરિફનો લાભ મળશે.

કૃષિ અને ડેરી પર કોઈ છૂટ નહીં
વાણિજ્ય મંત્રીએ જણાવ્યું કે ભારતે અમેરિકાને ડેરી કે કૃષિ ક્ષેત્રમાં કોઈ છૂટ આપી નથી. માંસ, પોલ્ટ્રી, ડેરી ઉત્પાદનો, સોયાબીન, મકાઈ, ચોખા, ઘઉં, ખાંડ, જુવાર, બાજરી, રાગી, ફળો, ગ્રીન ટી, કોકો, ચણા, એનિમલ સીડ્સ, બિન-આલ્કોહોલિક પીણાં, ઇથેનોલ અને તમાકુ જેવી વસ્તુઓ પર કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી.

30 ટ્રિલિયન ડોલરનું બજાર ખુલ્યું
પીયૂષ ગોયલે કહ્યું કે આ ટ્રેડ ફ્રેમવર્કથી ભારત માટે લગભગ 30 ટ્રિલિયન ડોલરનું અમેરિકન બજાર ઓછા ટેરિફ સાથે ખુલ્લું થયું છે. અમેરિકાએ ભારત માટે ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દીધો છે, જે ચીન (35%), વિયેતનામ (20%) અને ઇન્ડોનેશિયા (19%) કરતાં ઓછો છે.

2047ના વિકસિત ભારત તરફ મોટું પગલું
ગોયલે જણાવ્યું કે ફેબ્રુઆરી 2025માં ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે વાટાઘાટો શરૂ થઈ હતી, જેના લક્ષ્ય તરીકે બંને દેશો વચ્ચે વાર્ષિક 500 બિલિયન ડોલરના વેપારને હાંસલ કરવાનો ઉદ્દેશ હતો.

તેમણે કહ્યું કે આજનો દિવસ ભારતની 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાની યાત્રામાં સુવર્ણ અક્ષરોમાં લખાશે. સમગ્ર દેશમાં આ ટ્રેડ ડિલને લઈને ઉત્સાહ છે અને આવનારા દિવસોમાં ભારતીય નિકાસકારો માટે નવી તકો ખુલશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

‘ગાંજા કાંડ’ બાદ એર ઇન્ડિયાનો મોટો નિર્ણય, ગ્રૂપના તમામ પાયલટોનું ફરજિયાત ડ્રગ સ્ક્રીનિંગ

એર ઇન્ડિયા ગ્રૂપે પાયલટોની સલામતી અને મુસાફરોના વિશ્વાસને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. 13 ઓગસ્ટ 2026થી એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના તમામ પાયલટોનું ફરજિયાત સાયકોએક્ટિવ સબસ્ટન્સ સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ તપાસમાં ઉડ્ડયન નિયમો હેઠળ પ્રતિબંધિત પદાર્થો અને કેટલીક પ્રતિબંધિત દવાઓની તપાસ કરવામાં આવશે. આ નિર્ણય 4 ઓગસ્ટની ફુકેત-દિલ્હી ફ્લાઇટ AI2379 સાથે જોડાયેલી ગંભીર ઘટનામાં પાયલટના મારિજુઆના ટેસ્ટના પોઝિટિવ પરિણામ બાદ લેવામાં આવ્યો છે. એર ઇન્ડિયાના તમામ પાયલટોની થશે તપાસ એર ઇન્ડિયાના નવા નિર્ણય હેઠળ માત્ર શંકાસ્પદ પાયલટો જ નહીં, પરંતુ ગ્રૂપના તમામ પાયલટોને સ્ક્રીનિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ ટેસ્ટ ટ્રેનિંગ સેશન દરમિયાન, ફ્લાઇટ બાદ તેમજ પાયલટોના નિર્ધારિત બેઝ અને અન્ય સ્થળોએ કરવામાં આવશે. કંપનીના ગુરુગ્રામ ટ્રેનિંગ એકેડેમી, ફ્લાઇટ બ્રીફિંગ સેન્ટર અને…

Gandhinagarમાં SLBCની ૧૯૦મી બેઠક: CM ભૂપેન્દ્ર પટેલનું છેવાડાના માનવી સુધી ધિરાણ પહોંચાડવા આહવાન Inclusive Growth 2026

Gandhinagarમાં SLBCની 190મી બેઠક: CM ભૂપેન્દ્ર પટેલનું બેન્કર્સને આહવાન, છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચાડો ધિરાણ Gandhinagarમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 190મી બેઠક યોજાઈ. CM ભૂપેન્દ્ર પટેલે MSME, મહિલા ઉદ્યોગકારો, ખેડૂતો અને ગ્રામીણ કારીગરો સુધી સરળતાથી ધિરાણ પહોંચાડવા બેન્કર્સને આહવાન કર્યું. Gandhinagarમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ની 190મી બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના બેન્કિંગ ક્ષેત્રની કામગીરી, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી ધિરાણ પહોંચાડવા, ખેડૂતો, નાના ઉદ્યોગકારો, મહિલા ઉદ્યોગ સાહસિકો અને ગ્રામીણ કારીગરોને સમયસર નાણાકીય સહાય સહિતના વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેન્કર્સને **‘ક્રેડિટ ટુ લાસ્ટ માઈલ’**ના અભિગમને સાકાર કરવા ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે બેન્કિંગ સેવાઓનો લાભ સમાજના છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે બેન્કિંગ ક્ષેત્રે…