રાજપાલ યાદવ તિહાર જેલ પહોંચ્યા, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટનો કડક આદેશ

બોલિવૂડના જાણીતા હાસ્ય કલાકાર રાજપાલ યાદવ માટે આજનો દિવસ ખૂબ જ મુશ્કેલ સાબિત થયો છે. ચેક બાઉન્સના વર્ષો જૂના કેસમાં દિલ્હી હાઈકોર્ટના કડક આદેશ પ્રમાણે રાજપાલે તિહાર જેલના સુપરિન્ટેન્ડેન્ટ સામે શરણાગતિ સ્વીકારી લીધી છે.

2010માં તેમની ડાયરેક્ટર તરીકેની ડેબ્યુ ફિલ્મ ‘આતા પતા લપતા’ માટે મુરલી પ્રોજેક્ટ્સ પાસેથી લેવાયેલ ૫ કરોડની લોન હવે તેમણે ભરવી પડતી રહી છે. ફિલ્મ ફ્લોપ રહેતા અને ચુકવણી માટે આપેલી ગેરંટી અને ચેક બાઉન્સ થવા લાગતા, આજના દિવસે તેમને જેલની હવા ખાવાની ફરજ પડી.

કોર્ટરૂમમાં રાજપાલ યાદવે ૨૫ લાખ રૂપિયા ચેક સાથે હાજરી આપી અને બાકી રકમ ચૂકવવા માટે વધુ સમય માંગ્યો, પરંતુ હાઈકોર્ટના જજોએ તેમના વિનંતીને ખારજ કરી દીધું અને જણાવ્યું,”કાયદો પાલનને પુરસ્કાર આપે છે, અવમાનને નહીં.”

ટ્રાયલ કોર્ટે તેમને પહેલેથી જ છ મહિનાની સજા ફટકારી હતી, જેના કારણે રાજપાલ હાઈકોર્ટ ગયા હતા. હાઈકોર્ટે પ્રથમ તેમને સમાધાન માટે અવકાશ આપ્યો હતો, પરંતુ શરતોનું પાલન ન થતાં 4 ફેબ્રુઆરીના રોજ રાહત અરજી ફગાવી દેવામાં આવી.

હાસ્યના દિગ્ગજ ગણાતા આ અભિનેતાના જેલ પહોંચતા બોલિવૂડમાં સફળતા ફેલાઈ છે, અને તેમના ઘણાં મોટા પ્રોજેક્ટ્સની ભવિષ્યની સ્થિતિ અસ્પષ્ટ બની ગઈ છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

Related Posts

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ: ભવનાથમાં ભક્તોની ભીડ, 10થી 12 લાખ લોકો માટે વિશાળ આયોજન

જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રી મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. મેળાની પૂર્વ સંધ્યાએ જ હજારો શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર સુધી શિવભક્તોની…

10 લાખ કે તેથી વધુ રોકડ જમા/ઉપાડ માટે PAN ફરજિયાત: નવા ડ્રાફટ નિયમો 1 એપ્રિલથી લાગુ થશે

આવકવેરાના નવા ડ્રાફટ નિયમો હેઠળ હવે એક નાણાકીય વર્ષમાં વ્યક્તિના એક અથવા વધુ ખાતાઓમાં રૂ. 10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવું અથવા ઉપાડવું હોય તો PAN (પાન કાર્ડ)…