ગુજરાત સરકારે શહેરોના વિકાસને ઝડપી બનાવવા અને વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે મહત્વપૂર્ણ પગલુ ભર્યું છે. હવે નગરપાલિકાઓને સરકારી જમીન મેળવવા માટે જંત્રીના 25 થી 50 ટકા દર ચૂકવવાની જરૂર નહીં પડે.
નિર્ણય પાછળનું કારણ
અત્યારે નગરપાલિકાઓ જ્યારે કોઈ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે સરકારી જમીનની માંગણી કરતી, ત્યારે તેમને જંત્રીના નક્કી કરેલા દર મુજબ મોટી રકમ સરકારને ચૂકવવી પડતી. આ આર્થિક બોજને કારણે ઘણીવાર વિકાસપ્રોજેક્ટ્સમાં વિલંબ થતા હતા. નવા નિયમો હેઠળ નગરપાલિકાઓ પર આ ભારણ ઘટશે અને પાયાની સુવિધાઓ સમયસર નાગરિકોને ઉપલબ્ધ થશે.
કઈ 11 સુવિધાઓ માટે જમીન મળશે મફતમાં?
સરકાર દ્વારા જાહેર કરેલી યાદી અનુસાર, નીચે મુજબની કામો માટે નગરપાલિકાઓને વિનામૂલ્યે જમીન ફાળવાશે:
1. નગરસેવા સદન (વહીવટી ઓફિસ)
2. ફાયર સ્ટેશન
3. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)
4. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP)
5. ભૂગર્ભ ગટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન
6. વોટર સપ્લાય પ્રોજેક્ટ
7. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ (વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા)
8. ટાઉનહોલ
9. કોમ્યુનિટી હોલ
10. કન્વેન્શન સેન્ટર
11. અન્ય પાયાની માળખાગત સુવિધાઓ
આ નિર્ણયથી નગરપાલિકાઓને વિકાસ કામો માટે ઝડપી પ્રક્રિયા મળશે અને શહેરી વહીવટ વધુ લોકાભિમુખ બની રહેશે. અટકેલા પ્રોજેક્ટ્સને નવી ગતિ મળશે અને નાગરિકોને સુવિધાઓ સમયસર પ્રાપ્ત થશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






