Banaskantha: મંત્રી ઈશ્વરસિંહ પટેલે કસરા–દાંતીવાડા પાઈપલાઈન પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશન અને દાંતીવાડા હેડ વર્કસની મુલાકાત લીધી

પ્રવીણસીહ વાધેલા, બનાસકાંઠા/ રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પાલનપુર તાલુકાના કુશકલ ગામે આવેલ કસરા–દાંતીવાડા પાઈપલાઈન પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશન-04ની મુલાકાત લીધી હતી.

ત્યારબાદ મંત્રીએ દાંતીવાડા ડેમ તેમજ ડેમ આધારિત બી.કે.–5 જૂથ પાણી પુરવઠા યોજનાના દાંતીવાડા હેડ વર્કસની મુલાકાત લઈ પ્રોજેક્ટની કામગીરી અંગે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી કામની પ્રગતિ, ટેકનિકલ વ્યવસ્થાઓ તેમજ ચાલી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

1200 કરોડના ખર્ચે ઉદ્દવહન સિંચાઈ યોજના હાથ ધરવામાં આવી
આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, નર્મદા મુખ્ય નહેર આધારિત કસરા–દાંતીવાડા પાઈપલાઈન દ્વારા રૂ.1200 કરોડના ખર્ચે ઉદ્દવહન સિંચાઈ યોજના હાથ ધરવામાં આવી છે. આ મહત્વાકાંક્ષી યોજના હવે પૂર્ણતાના આરે છે અને હાલ ચાલી રહેલ ટેસ્ટિંગની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થતા લોકોને પાણી મળવાનું શરૂ થશે.

252 તળાવો પાણીથી ભરવાનું આયોજન
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કુલ 105 ગામોના 252 તળાવો પાણીથી ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પરિણામે અંદાજે 33,670 હેક્ટર વિસ્તારને પિયતનો લાભ મળશે. સાથે જ બનાસકાંઠા જિલ્લાના ૧૨૩૪ ગામોમાં મોટાભાગના ગામોમાં પાણી પુરવઠા યોજના દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ મુલાકાત દરમિયાન સચિવ એમ.ડી. પટેલ, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, નાયબ કાર્યપાલક ઈજનેર એચ.એમ. ચૌધરી, પી.જે. ચૌધરી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નાના ભૂલકાંઓનું મોટું સપનું: વડનગરથી ગુજરાતના શિક્ષણનો નવો ઇતિહાસ!

શિક્ષણનું પર્વ: વડનગરની ધરતી પરથી ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યનો થયો ‘શંખનાદ’! વડનગર: ગુજરાતની ધરતી પર જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે વડનગરનું નામ અગ્રણી રહે છે. આજે વડનગરથી રાજ્યવ્યાપી ‘શાળા પ્રવેશોત્સવ’ અભિયાનનો…

જ્યારે ભક્તના વિશ્વાસને ખાતર સાક્ષાત દ્વારકાધીશ બન્યા ‘શામળશા શેઠ’: નરસિંહ મહેતાની હુંડીનો અદભૂત પ્રસંગ

જૂનાગઢ: ગુજરાતની પવિત્ર ભૂમિ સંતો અને શૂરવીરોની ગાથાઓથી ગુંજતી રહી છે. આ ભૂમિ પર અનેક ભક્તો થયા, જેમણે પોતાની ભક્તિથી પરમાત્માને પૃથ્વી પર આવવા મજબૂર કર્યા. આજના આધુનિક યુગમાં, જ્યારે…