PM કિસાનના 22માં હપ્તા માટે ખેડૂતોએ ફરજિયાત કરાવવું પડશે ફાર્મર આઈડી

ભારત સરકારના કૃષિ મંત્રાલયે ખેડૂતોના સુખાકારી અને ડિજિટલ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ શરૂ કર્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ દરેક ખેડૂત ખાતેદાર માટે 11 આંકડાનો યુનિક ફાર્મર આઈડી બનાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. જો ખેડૂત આ રજીસ્ટ્રેશન ન કરે, તો આગામી સમયમાં PM કિસાન યોજનાનો ૨૨મો હપ્તો અટકી શકે તેવી શક્યતા છે.

ફાર્મર આઈડીનું મહત્વ
જેમ નાગરિકોની ઓળખ માટે આધાર કાર્ડ ફરજિયાત છે, તેમ ખેડૂતોની ડિજિટલ ઓળખ માટે ફાર્મર આઈડી તૈયાર કરવામાં આવી રહી છે. વર્ષ 2024-25થી અમલમાં આવેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે:
– ખેડૂતોને મળતા સરકારી હપ્તા અને સહાયમાં પારદર્શિતા લાવવી
– સીધો લાભ ખાતામાં પહોંચાડવો
– વચેટીયાઓને દૂર રાખવો

આ યોજનાઓ માટે આઈડી અનિવાર્ય છે
PM કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા
ખાતર અને બિયારણ પર મળતી સબસીડી
પાક વીમો (PMFBY) અને સરકારી ખરીદીના લાભ
ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાકીય સહાય

રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
ખેડૂત મિત્રો નીચે મુજબ રજીસ્ટ્રેશન કરી શકે છે:
મોબાઈલ દ્વારા: સત્તાવાર પોર્ટલ gjfr.agristack.gov.in પર જઈને સેલ્ફ-રજીસ્ટ્રેશન.
ગ્રામ પંચાયત: ગામના VCE/VLE (કોમ્પ્યુટર ઓપરેટર) પાસે.
જનસેવા કેન્દ્ર (CSC): નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને.

જરૂરી દસ્તાવેજો
– આધાર કાર્ડ
– આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર (OTP માટે)
– જમીનની વિગતો (7/12 અને 8-અ ના ઉતારા)

ખેડૂતોએ આ પ્રક્રિયામાં વિલંબ ન કરવો
ખેતીવાડી વિભાગે તમામ ખેડૂત ખાતેદારોને અનુરોધ કર્યો છે કે ભવિષ્યમાં કોઈપણ સરકારી સહાય કે હપ્તામાં અડચણ ન આવે તે માટે વહેલી તકે રજીસ્ટ્રેશન પૂર્ણ કરો. ખાસ કરીને ૨૨મા હપ્તાના લાભાર્થીઓએ આ પ્રક્રિયામાં વિલંબ ન કરવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાત સરકાર સક્રિય:
ગુજરાતમાં 15 ઓક્ટોબર 2024થી ‘ફાર્મર રજિસ્ટ્રી’ અભિયાન શરૂ થયું છે. કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2025થી PM કિસાન યોજનામાં નવા નોંધણી કરાવતા ખેડૂતો માટે ફાર્મર આઈડી ફરજિયાત કરી છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

દિલજીત દોસાંજનો કેનેડામાં દબદબો: ખાલિસ્તાની ઝંડા લહેરાવનારાઓને સ્ટેજ પરથી ચેતવણી

કેનેડામાં લાઈવ કોન્સર્ટ દરમિયાન પંજાબી ગાયક દિલજીત દોસાંઝે ખાલિસ્તાની સમર્થનમાં સૂત્રોચ્ચાર કરનારા કેટલાક લોકો સામે કડક વલણ અપનાવીને ચર્ચાનો વિષય બની ગયો છે. કોન્સર્ટ દરમિયાન બનેલી આ ઘટના હવે સોશિયલ…

લેન્ડિંગ સમયે ઈમરજન્સી ગેટ ખોલીને મુસાફરે લગાવી છલાંગ, Chennai International Airport પર હાઈ એલર્ટ

રવિવારની વહેલી સવારે ચેન્નાઇના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. શારજાહથી આવેલી Air Arabiaની ફ્લાઇટમાં એક મુસાફરે લેન્ડિંગ બાદ ઈમરજન્સી ગેટ ખોલીને વિમાનમાંથી કૂદી પડતા હાહાકાર મચી ગયો…